તળાવની પાળે ઘોડાગાડી વાળાઓનો ત્રાસ : હિન્દુ સેના

  • January 10, 2023 10:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં એકમાત્ર તળાવની પાળ પર ફરવા લાયક સ્થળ છે અને તહેવારો તથા રવિવાર, શુક્રવાર જેવી રજાઓમાં શહેરમ)ં રહેતા લોકો તળાવની પાળે ફરવા જવાનું પસંદ કરે છે એટલે ભીડ તો થવાની જ છે આવા સમયે તળાવની પાળે ઘોડસવારી, ઘોડાગાડીના ધંધાર્થીઓનો ત્રાસ વધી ગયો છે, કારણ વીનાની ભીડ કરવી, બેફામ ઘોડા ચલાવવા, લોકોમાં ભયનો માહોલ ઉભો કરવો વગેરે હેરાનગતી વધી રહી છે.


તમમા લોકો મોજ માણી રહયા છે એટલું જનહી બહેન દિકરીઓને જોઇને અમુક પ્રકારના ઇશારા, મસ્તી થતી હોય વે પરંતુ બદનામીની બીકે કોઇ ફરીયાદ થતી નથી જેનો લાભ આ ઘોડાના ધંધાર્થીઓ લઇ રહયા છે જેને લઇને હિન્દુ સેના પાસે અનેક વખત ફરીયાદ આવતા હિન્દુ સેનાએ જામનગરના કલેકટર પારઘી, કમિશ્નર ખરાડી તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીને હિન્દુ સેના જામનગર શહેર યુવા પ્રમુખ યશાંક ત્રિવેદીએ લેખીત રજુઆત કરી હતી જેમાં તાત્કાલીક ધોરણ આ ઘોડેસ્વાર કે ઘોડાગાડીવાળાનું સ્થાન બદલી આપવા અથવા બંધ કરાવવા હિન્દુ સેનાએ રજુઅત કરી હતી જેથી જામનગર પોલીસ કચેરીમાં ફોજદારી રાહે પગલા લેવાનો હુકમ ફરમાવેલ છે તેમ હિન્દુ સેનાની યાદીમાં જણાવ્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application