'હનુમાન ભગવાન નથી...' આદિપુરુષના ડાયલોગ રાઈટરને હજુ નથી આવ્યું ભાન, લોકો ભડક્યા

  • June 20, 2023 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં છે. મનોજ મુન્તાશીર પહેલાથી જ ફિલ્મના ડાયલોગને લઈને ટીકા થઈ રહ્યા હતા અને હવે તેમણે કંઈક એવું કહ્યું છે જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મનોજે કહ્યું કે હનુમાનજી ભગવાન ન હતા. મનોજના આ નિવેદન પર હવે લોકો ભડક્યા છે.


મનોજે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બજરંગ બલી ભગવાન નથી, તે એક ભક્ત છે, તેને પછીથી ભગવાન બનાવ્યા છે. મનોજના આ ઈન્ટરવ્યુની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ચૂપ રહેવાની સલાહ આપી રહ્યા છે.


સોમવારે ફિલ્મના કલેક્શનમાં જોરદાર ઘટાડો થયો છે. સોમવારે ફિલ્મની કમાણીમાં 70 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના હિન્દી વર્ઝને સોમવારે 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે તેની રિલીઝના પહેલા વીકએન્ડમાં સારી કમાણી કરી હતી, પરંતુ ફિલ્મને લઈને વિવાદો વધી રહ્યા છે ત્યારે લાગે છે કે લોકોનો ફિલ્મ જોવાનો રસ ઘટી ગયો છે.


રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ 600 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ અને સૈફ ઉપરાંત સની સિંહ, સોનલ ચૌહાણ, સિદ્ધાર્થ નિગમ પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application