કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી

  • July 05, 2023 06:21 PM 

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ગુરપૂર્ણિમાની ઉજવણી, જાણીતા સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી લાભશંકરભાઇ પુરોહિત નાં સાંનિધ્યમાં કરવા માં આવી. આ પ્રસંગે પ્રમુખ કરશનભાઈ ડાંગર, મા મંત્રી હીરાબેન તન્ના, સુચેતા બેન એ લાભુ દાદા નું શાલ અને સુત્રમાળા દ્વારા ગુરુ વંદના કરી હતી.


પ્રારંભમાં  કરશનભાઈ ડાંગર એ શબ્દો દ્વારા સ્વાગત કરી, અતિથિ નો પરિચય આપ્યો હતો.  પ્રજ્ઞાબેન વ્યાસે પ્રાસંગિક પ્રવચનમાં ગુરુ પરંપરા વિશે વાત કરી હતી.  લાભૂ દાદા એ આશીર્વચન આપતાં ગુરુનો મહિમા સમજાવ્યો હતો.કાર્યક્રમ નું આભારદર્શન સુચેતા બેન એ કર્યું અને સમગ્ર સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યા એ કર્યું હતું.સંસ્થા પરિવાર નાં સૌ હજાર રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application