મહારાષ્ટ્રના લિકર શોપ માલિકોએ ગુજરાત સ્ટેટ પોલીસ સામે પોતાની ફરિયાદ નોંધાવી છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં લિકર શોપ માલિકોનો આક્ષેપ છે કે, ગુજરાત પોલીસ તેમને ખોટી રીતે પરેશાન કરી રહી છે. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત પોલીસ જાણી જોઈને ફસાવી રહી છે. આ ઉપરાંત લિકર શોપ માલિકોએ ગુજરાત પોલીસ તરફથી હેરાનગતિના વલણ સામે રક્ષણ માંગ્યું છે.
આ મામલે મુંબઈ, થાણે, પાલઘર અને અન્ય જિલ્લાના લિકર શોપના માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. એસોશિએશન ઓફ પ્રોગેસિવ રિટેઈલ લિકર વેન્ડર ગ્રુપ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઇ છે. અરજદારે અરજીમાં કહ્યું હતું કે ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર પરિવહન માટે પકડાયેલા લોકોના નિવેદનના આધારે ગુજરાત પોલીસ પ્રોહિબિશન એક્ટ હેઠળ માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપના માલિકોને હેરાન કરે છે.
માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપ માલિકોને ફસાવવાના આરોપ સાથે કેસમાં રાજ્ય સરકાર, DGP અને રાજકોટ, સુરત, અમદાવાદ, રાજકોટના CPને પક્ષકાર બનાવાયા છે. દારૂની બોટલ સાથે કોઈ ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે અમારી વિરુદ્ધ FIR કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે. અરજી પર સાત જૂલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે.
પોલીસ દ્વારા 41-A CrPC નોટિસ જારી કરવાથી દુકાન માલિકો અથવા તેમના કર્મચારીઓને ગુજરતના પોલીસ સ્ટેશને આવવની ફરજ પડે છે. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તેમની ધરપકડ થાય છે અથવા આગોતરા જામીન માટે ફાઇલ કરવા અથવા FIR રદ કરવા જેવા કાનૂની વિકલ્પો શોધવાની ફરજ પડે છે.
મહારાષ્ટ્રના વર્તમાન નિયમો મુજબ, જો કોઈ લાઇસન્સ ધરાવતા વેપારી કોઈ શરતનું ઉલ્લંઘન કરે છે અથવા પ્રોહિબિશન એક્ટના કેસમાં ફસાઈ જાય છે, તો પોલીસે આબકારી વિભાગને જાણ કરવી જોઈએ. ત્યારપછીની તમામ કાર્યવાહી આ વિભાગ દ્વારા કરવાની હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech