રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું

  • April 25, 2023 11:40 AM 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ  આજે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેનાર છે, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું.

રાજ્યપાલશ્રીના સ્વાગતમાં કલેકટર  બી. એ. શાહ, જિલ્લા પોલીસ વડા  પ્રેમસુખ ડેલું, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, શહેર પ્રાંત અધિકારી દર્શન શાહ, એરપોર્ટ ઓથોરિટી ડાયરેકટર  સચિન ખેંગાર, આસિસ્ટન્ટ મેનેજર  પ્રશાંત મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application