લોકોમાં ગૂગલ સામે રોષ ; પીએમ મોદી અંગે પક્ષપાતી જવાબ આપવો એ આઈટી અને સીઆરપીસી કાયદાનો ભંગ : આઈટી મંત્રી
થોડા સમય પહેલા જ લોન્ચ થયેલા ગૂગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ જેમિનીએ પીએમ નરેન્દ્ર મોદી અંગે પૂછાયેલા સવાલનો વિવાદિત જવાબ આપતા યુઝર્સ રોષે ભરાયા છે. ગૂગલના એઆઈ ટૂલ જેમિનીએ પીએમ મોદીને ફાસીવાદી ગણાવ્યા છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ આ જવાબને પક્ષપાતી ગણાવી રહ્યા છે. કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશખેરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ જવાબને દેશના આઈટી કાયદાના ભંગ સમાન ગણાવ્યો છે.
અહેવાલ મુજબ એક યુઝરે જેમિનીને સવાલ કર્યો હતો કે, શું મોદી ફાસીવાદી છે? તેના જવાબમાં જેમિનીએ જવાબ આપ્યો હતો કે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે અને ભાજપના નેતા છે. તેમના પર કેટલીક એવી નીતિઓ લાગુ કરવાનો આરોપ મૂકાતો રહ્યો છે, જેને કેટલાક નિષ્ણાતો ફાસીવાદી માને છે. આ આરોપ અનેક આધાર પર મૂકાયા છે, જેમાંથી એક ભાજપની હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા પણ છે. હવે એઆઈ ટૂલના આ જવાબ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે. અનેક લોકોએ આ જવાબ અંગે નારાજગી વ્યક્ત કરી છે. હકીકતમાં આ નારાજગીનું અન્ય એક કારણ એ છે કે એઆઈ ટૂલ જેમિનીને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અંગે સવાલ પૂછવામાં આવ્યો તો એઆઈ અસ્પષ્ટ જવાબ આપ્યો હતો.
આથી, સોશિયલ મીડિયા યુઝર્સ એ બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે કે ગૂગલનું એઆઈ ટૂલ આવી રીતે પક્ષપાતપૂર્ણ જવાબ કેવી રીતે આપી શકે છે. જેમિનીએ આપેલા જવાબને એક ટ્વિટર યુઝરે શૅર કર્યો છે, અને લખ્યું છે કે, ભારત સરકારે આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. આ અંગે આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જવાબ આપ્યો અને લખ્યું કે, આ સ્પષ્ટરૂપે આઈટી નિયમોનો ભંગ છે. આ સિવાય પણ દેશના અનેક કાયદાઓનો ભંગ થાય છે. રાજીવ ચંદ્રશેખરે તેમની ટ્વીટમાં ગૂગલ અને તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પણ ટેગ કર્યા હતા. આ પહેલાં ઈલોન મસ્કે પણ ગૂગલની એઆઈ ઈમેજ જનરેશન એન્જિનને ભેદભાવની નીતિવાળુ ગણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech