ભાવનગર : વ્યાજખોરોના ત્રાસથી ફુલસરના યુવાને એસિડ ગટગટાવી લીધું

  • January 16, 2023 08:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ઉંચા વ્યાજે લીધેલા રૂપિયા યુવાન નહીં ચૂકવી શકતા ચાર શખ્સો ની ઉઘરાણી થી ત્રસ્ત બની આ પગલું ભર્યું


ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા યુવાને ઉંચાવ્યા જે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા આ ત્રાસથી કંટાળી એસિડ પી લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવેલ આ બનાવ અંગે ચાર શખ્સો વિરુદ્ધ બોર તળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી


આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ખાર નજીક આવેલા મફતનગરમાં રહેતા અશોક કાળુભાઈ ડાભી એ એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ઇન્દુભા ચુડાસમા,હાજીદાદા રીક્ષાવાળા,ધમભા ઉર્ફે મામા જાડેજા,રમજાનભાઇ મકવાણા પાસેથી અશોકભાઈએ ઉંચા વ્યાજ દરથી રૂપિયા લીધેલ હોય અને હાલ ફરી, પાસે કોઇ ધંધો ન હોય જેથી ફરી, વ્યાજ તથા મુદલના રૂપિયા આપવા સગવડાતો ન હોય જેથી ઇન્દુભા ચુડાસમા,હાજીદાદા રીક્ષાવાળા,ધમભા ઉર્ફે મામા જાડેજા,રમજાનભાઇ મકવાણાએ અશોકભાઈને ઘરે આવી રૂપિયાની ઉઘરાણી ગાળો આપી હેરાન પરેશાન કરતા હોય ત્રાસથી કંટાળી અશોકભાઇએ એસીડ પી લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે અશોકભાઈએ બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application