૨૨મી જુલાઈથી મીટરગેજ ની બે ટ્રેનો વેરાવળ-અમરેલી અને વેરાવળ-દેલવાડાના સમયપત્રક મુજબ દોડશે

  • July 22, 2023 12:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે વેરાવળ-સવની, સાસણગીર-વિસાવદર, પ્રાચી-તાલાલામાં અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે પાટા નીચેથી ધોવાઈ જવાથી ટ્રેક પર સતત નજર રાખવામાં આવી રહી છે, સમારકામની કામગીરી સતત ચાલી રહી છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 22 જુલાઈ, 2023 થી મીટરગેજ સેક્શનની વેરાવળ-અમરેલી અને વેરાવળ-દેલવાડા ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની વિગતો આ મુજબ છે.22.07.2023 થી ટ્રેનો તેમના સમયપત્રક મુજબ દોડશે વેરાવળ - અમરેલી (મીટરગેજ ટ્રેન) વેરાવળ - દેલવાડા (મીટરગેજ ટ્રેન)
  
ઉલ્લેખનીય છે કે મીટરગેજ સેક્શનમાં ટ્રેક રિપેરિંગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. સમારકામની કામગીરી પૂર્ણ થયા પછી, તમામ મીટરગેજ ટ્રેનો 23.07.2023 થી દોડશે. રેલવે પ્રશાસન રેલવે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application