સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ અનેક સારવાર અને સર્જરી નિઃશુલ્ક થઈ શકશે
જામનગરની ઝેડ.વી.એમ.રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલમાં આગામી શુક્રવારના રોજ હદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સરનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે. જેનો લાભ લેવા લોકોને જાહેર અપીલ કરાઈ છે.
જામનગરના કાલાવડ ગેઇટ નજીક કાર્યરત ઝેડ.વી.એમ.રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ૧૫-૦૯-૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ થી ૧-૦૦ દરમિયાન નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં હદયરોગની તકલીફો, બ્લડ પ્રેશર (લોહીનું ઊંચું તથા નીચું બાણ) તેમજ કેન્સરની તકલીફોનું પ્રાથમિક નિદાન કરી આપવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે દર્દીઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી સારવાર તથા સર્જરીનો લાભ આયુષ્માન કાર્ડ હેઠળ લઈ શકશે. જેમાં નિઃશુલ્ક કાર્ડિઓલોજી (હદયરોગની સારવાર), કાર્ડિઓવાસ્કયુલર અને થોસેસિક સર્જરી (હદયરોગની સર્જરી), કેન્સરની સર્જરી, રેડિએશન થેરાપી, કિમોથેરાપી કાર્ડ હેઠળ નિઃશુલ્ક થઈ શકે છે.
નામ લખાવવા માટે સંપર્ક કરો ફોન નં. ૦૨૮૮-૨૫૫૮૭૪૭ અને વધુ વિગત માટે મો.નં.૯૫૭૪૦ ૦૦૬૯૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech