જામનગરની ઝેડ.વી.એમ.રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલમાં શુક્રવારે હદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ

  • June 14, 2023 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ઝેડ.વી.એમ.રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલમાં શુક્રવારે હદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ


સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ અનેક સારવાર અને સર્જરી નિઃશુલ્ક થઈ શકશે




જામનગરની ઝેડ.વી.એમ.રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલમાં આગામી શુક્રવારના રોજ હદયરોગ​​​​​​​, બ્લડ પ્રેશર અને કેન્સરનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે. જેનો લાભ લેવા લોકોને જાહેર અપીલ કરાઈ છે.



જામનગરના કાલાવડ ગેઇટ નજીક કાર્યરત ઝેડ.વી.એમ.રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ૧૬-૦૬-૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ થી ૧-૦૦ દરમિયાન નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


આ કેમ્પમાં હદયરોગ​​​​​​​ની તકલીફો, બ્લડ પ્રેશર (લોહીનું ઊંચું તથા નીચું બાણ) તેમજ કેન્સરની તકલીફોનું પ્રાથમિક નિદાન કરી આપવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે દર્દીઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી સારવાર તથા સર્જરીનો લાભ આયુષ્માન કાર્ડ હેઠળ લઈ શકશે. જેમાં નિઃશુલ્ક કાર્ડિઓલોજી (હદયરોગ​​​​​​​ની સારવાર), કાર્ડિઓવાસ્કયુલર અને થોસેસિક સર્જરી (હદયરોગ​​​​​​​ની સર્જરી), કેન્સરની સર્જરી, રેડિએશન થેરાપી, કિમોથેરાપી કાર્ડ હેઠળ નિઃશુલ્ક થઈ શકે છે.


નામ લખાવવા માટે સંપર્ક કરો ફોન નં. ૦૨૮૮-૨૫૫૮૭૪૭ અને વધુ વિગત માટે મો.નં.૯૪૨૮૪૬૭૨૭૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application