આખરે ભાન થયું, વિરોધના વંટોળ બાદ હવે ‘આદિપુરુષ’ના વિવાદાસ્પદ ડાયલોગ બદલશે મેકર્સ

  • June 18, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આદિપુરુષના સતત વિરોધ બાદ ફિલ્મના મેકર્સે મોટી જાહેરાત કરી છે. ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાસીરે જાહેરાત કરી છે કે હવે ફિલ્મના ડાયલોગ બદલવામાં આવશે. મનોજ મુન્તાસીરે ટ્વીટ કરીને આ માહિતી આપી અને લખ્યું, 'મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે કેટલાક સંવાદો જે તમને દુઃખ પહોંચાડે છે, અમે તેમને રિવાઇઝ કરીશું અને આ અઠવાડિયે તેઓ ફિલ્મમાં સામેલ થશે.


મનોજ મુન્તાશીરે ટ્વીટ કરીને આ માહિતી આપી અને લખ્યું, 'મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે કેટલાક સંવાદો જે તમને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેમને રિવાઇઝ કરીશું અને તેમને આ અઠવાડિયે ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.' આ સાથે મનોજ મુન્તાશીરે એ પણ જણાવ્યું કે તેણે આ ફિલ્મ માટે 4000 થી વધુ લાઈનોના સંવાદો લખ્યા છે.
​​​​​​​

તેમણે વધુમાં લખ્યું છે કે, 'આદિપુરુષ'ને સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને તે તમામ વય જૂથોના પ્રેક્ષકોના દિલ જીતી રહ્યું છે. આ દ્રશ્યને એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવવા માટે, ટીમે લોકો અને પ્રેક્ષકોના ઇનપુટ્સને ધ્યાનમાં લઈને ફિલ્મના સંવાદોને ટ્વિક કરવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મના નિર્માતાઓ એવા સંવાદો પર ફરીથી વિચાર કરી રહ્યા છે જેણે દર્શકોને દુઃખ પહોંચાડ્યું છે. ઉપરાંત, નિર્માતાઓ ઇચ્છે છે કે ફિલ્મ તેની મૂળ ભાવનાથી ભટકી ન જાય. ફિલ્મના નિર્માતાઓ પણ માને છે કે ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી હોય, પરંતુ દર્શકોની ભાવનાઓને કોઈપણ રીતે ઠેસ ન પહોંચાડવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application