સદગુરુ પરમ પૂજ્ય ટેઉંરામ મહારાજના જીવન ચરિત્ર પર બનેલી ફિલ્મ સિંધી સમાજને દર્શાવાઇ

  • July 10, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રેમ પ્રકાશ સેવા મંડળ દ્વારા ગુરુજી મહારાજ ના જીવન આધારિત બનેલી આ ફિલ્મ નો ભાવિકો માટે રાજશ્રી સિનેમા માં ખાસ શો યોજાયો: પ્રમુખ લીલારામભાઈ પોપટાણી અને આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી એ પણ ફિલ્મ નિહાળી





રાજકોટમાં સિંધી સમાજ માટે સદગુરુ પરમ પૂજ્ય ટેઉંરામ મહારાજના જીવન ચરિત્ર પર નિર્દેશિત થયેલી ફિલ્મ શહેરના રાજશ્રી સિનેમા ખાતે દર્શાવવામાં આવી હતી. રાજકોટમાં આવેલા પ્રેમ પ્રકાશ સેવા મંડળ દ્વારા ગુરુજી મહારાજ સદગુરુ પરમ પૂજ્ય ટેઉંરામ મહારાજના જીવન પર બનેલી પ્રેરક ફિલ્મ અને તેના સંદેશ ને લોકો સુધી પહોંચાડવા માટે સિંધી સમાજ માટે વિનામૂલ્ય આ ફિલ્મનો ખાસ શો આયોજિત કરવામાં આવ્યો હતો.



ગઈકાલે સવારે યોજાયેલા આ ફિલ્મ ના શો માં સિંધી સમાજના પ્રમુખ લીલારામભાઈ પોપટાણી, આજકાલના મોભી અને સિંધી સમાજના અગ્રણી ધનરાજભાઈ જેઠાણી, જવાહરભાઈ માટા, પરસોતમભાઈ માટા, મહેન્દ્રભાઈ વાઘવાણી, મહિલા કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, સુનિલભાઈ ટેકવાણી, અગ્રણી મહારાજ ભરતલાલ મસંદ સાહેબ, ક્રિપાલભાઈ કુંદનાની, દશરથ મહારાજ તથા સિંધી સમાજના અન્ય આગેવાનો અને શિષ્ય ગણ ઉપસ્થિત રહ્યા હતા.


રવિવારે રાજશ્રી સિનેમા ખાતે યોજાયેલા આ ખાસ શો માં 750 લોકો એ સદગુરુ મહારાજના જીવન ચરિત્રની નિહાળીને પ્રેરક સંદેશ મેળવ્યો હતો. ફરી વખત બુધવારે બીજો શો યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application