વર્ષો-વર્ષ કમોસમી વરસાદને કારણે હજારો ખેડૂતો પાયમાલ થાય છે અને સરકારને આર્થિક પેકેજ આપવા પડે છે
વરસાદ ખેંચાય કે અતિવૃષ્ટી થાય ત્યારે સામાન્ય રીતે ખેડૂતો તેમના પાકની પેટર્ન બદલતા હોય છે પરંતુ હવે કમોસમી વરસાદ અને હવામાનમાં થઇ રહેલા ઓચિંતા ફેરફારોના કારણે ખેડૂતોએ પાક પેટર્ન બદલવાની તૈયારી શરૂ કરી દીધી છે. એટલે કે સિઝન પ્રમાણે જે પાક થાય છે તે અન્ય સિઝનમાં પણ લઇ શકાય છે. ખેડૂતોની આ માનસિકતાનો અભ્યાસ કરી સરકારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે.
ગુજરાતમાં હવે એવા શિયાળા અને ઉનાળા શરૂ થયાં છે કે ઠંડી અને ગરમી વચ્ચે માવઠાં થાય છે અને કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને ખૂબ નુકશાન થાય છે. જો રાજ્ય સરકાર પાક પેર્ટન માટેનો સર્વગ્રાહી રિપોર્ટ અમલી બનાવે તો ખેડૂતોને પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો ન પડે અને રાજ્ય સરકારે ખેડૂતોને નુકશાન વળતર પેટે આર્થિક પેકેડનો ભાર વહન કરવો ન પડે.
છેલ્લા વર્ષોના આંકલન સાથે પાકની પેટર્ન, વિવિધ સહાય યોજનાઓમાં બદલાવ અને ખેડૂતોએ ક્યારે ક્યો પાક લેવો તેનું માર્ગદર્શન માગતી એક દરખાસ્ત કેન્દ્રીય કૃષિ મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવી છે. રાજ્યના કૃષિ અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતોએ આ દરખાસ્તમાં કેટલીક ભલામણો કરી છે જેને મંજૂરી મળ્યે ગુજરાતના ખેડૂતો માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરાશે.
એક કૃષિ તજજ્ઞએ કહ્યું છે કે ખેતરમાં ખેડૂતો દ્વારા જે પાક લેવામાં આવે છે તેમાં બદલાતા હવામાનની અસર થતી હોય છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક ધોવાઇ જાય છે. ભેજયુક્ત વાતાવરણમાં પાકમાં જીવાત પડી જાય છે અથવા તો અતિવૃષ્ટીના કારણે પાક નિષ્ફળ પણ જાય છે. સૌથી વધુ અસર ધાન્ય, કઠોળ, તેલીબીયાં પાકો અને બાગાયતી પાકોને થાય છે. આ સંજોગોમાં નવી પાક પેટર્નથી પરંપરાગત વાવેતરમાં ફેરફાર કરી શકાય છે.
કૃષિ તજજ્ઞોએ નોંધ્યું છે કે છેલ્લા દાયકામાં થયેલા બદલાવનું મૂલ્યાંકન કરી ખેતી માટે નવી વ્યૂહરચના ઘડવી પડશે. મોસમ દરમ્યાન આવતા અણધાર્યા વાતાવરણના બદલાવોને પહોંચી વળવા આકસ્મિક આયોજનનો અમલ કરવો પડશે અને મુખ્ય આફતોની જીવન વ્યવહાર પરની ગંભીર અસરને યથાવત પરિસ્થિતિએ લાવવા નિશ્ચિત વ્યૂહરચના અપનાવવી પડશે.
ગુજરાતની કૃષિ મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચાયેલી છે જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે. પ્રત્યેક ભાગમાં ખેતી અને ખેતી કરવાની પદ્ધતિ અલગ અલગ જોવા મળે છે તેથી પાક પેટર્ન બદલવાની થાય તો આ પાંચ ભાગને ધ્યાનમાં લેવા પડે તેમ છે. રાજ્ય સરકારનો કૃષિ વિભાગ આ દિશામાં કામગીરી કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech