નવા નાગના ગામના ખેડૂતનું ઝેરી જંતુ કરડી જવાથી મૃત્યુ

  • July 18, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત બુઝુર્ગ ને પોતાની વાડીમાં કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હતું, અને ઝેરી અસર થયા પછી તેઓ નું મૃત્યુ નીપજયું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધનજીભાઈ મનજીભાઈ રાઠોડ નામના ૬૫ વર્ષના ખેડૂત ને ગઈકાલે સવારે પોતાના ખેતરમાં કામ કરતી વખતે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતાં બેશુદ્ધ બન્યા હતા.
​​​​​​​ તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
 આ બનાવ અંગે મૃતકના પુત્ર સુરેશ ધનજીભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application