ખંભાળિયાની પરિણીતાનું ભરણ પોષણ મંજૂર કરતી ફેમિલી કોર્ટ

  • March 28, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ફિરોઝાબેન હુસેનભાઈ રૂંજા લગ્ન જામનગરના વસઈ ખાતે રહેતા હુસેન હસનભાઈ રૂંજા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને એક સંતાન પણ થયું હતું. ફરિયાદી ફિરોજાબેનને તેણીના પતિ હુસેનભાઈ દ્વારા લગ્નજીવન દરમિયાન શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપી, ઘરમાંથી સગીર સંતાન સાથે કાઢી મૂકવામાં આવતા તેણી પોતાના પિતાના ઘરે રહેતી હતી.


આથી તેણીએ પોતાનું તથા પોતાના સગીર સંતાનનું ભરણપોષણ મેળવવા ખંભાળિયાની ફેમીલી કોર્ટમાં અરજી કરતાં અરજદારના વકીલ મોહમ્મદ હનીફ સોઢા દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, ફેમિલી કોર્ટ દ્વારા માતા પુત્રને માસિક રૂપિયા ૬,૦૦૦નું ભરણપોષણ મંજૂર કરવામાં આવ્યું હતું. સાથે અરજી ખર્ચ પણ મંજુર કરવામાં આવ્યો હતો. આ કેસમાં અરજદાર તરફે વકીલ મહંમદ હનીફ સોઢા તથા રેહાના સોઢા રોકાયા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application