જામજોધપુરના ફેબ્રિકકેશનના ધંધાર્થીએ વ્યાજખોર બંધુઓ સામે ફરિયાદ નોંધાવી

  • February 21, 2023 12:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરમાં રહેતા અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા એક વેપારીએ ધ્રાફાના બે વ્યાજખોર બંધુઓ સામે રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદ નોંધાવી છે.


 જામજોધપુરમાં ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતા અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા પંકજભાઇ ઉર્ફે પકો લખમણભાઇ રીબડીયાએ ધ્રાફાના જયદીપસિંહ ઇન્દ્રસિંહ જાડેજા, અને પ્રતિપાલસિંહ ઇન્દ્રસિંહ જાડેજા નામના બે ભાઈઓ સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેની અને ધાકધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.


 ફરિયાદી વેપારીએ બંને આરોપીઓ પાસેથી ૨૦૧૭ની સાલમાં બે લાખ ૪૦ હજાર વ્યાજે લીધા હતા, અને કટકે કટકે ૧,૯૦,૦૦૦ ચૂકવી દીધા હતા. ત્યારબાદ તેઓએ ૩,૫૦,૦૦૦ પડાવી લીધા હતા.

​​​​​​​
 તેમ છતાં હજુ ત્રણ લાખ આપવાના બાકી છે તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પૈસા આપી દેજે નહીંતર જીવવા દેશું નહી તેવી દાંટી મારી કોરા ચેક બળજબરીથી કઢાવી લઇ પઠાણી ઉઘરાણી કરતાં આખરે બંને વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે જામજોધપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application