નોકરિયાત લોકોને આ વખતે બજેટમાં કંઈ ખાસ નહીં મળે, જાણો શું છે કારણ?

  • January 06, 2024 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે. બજેટ રજૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં ઈન્કમ ટેક્સમાં શું ફેરફાર થશે, કોઈ રાહત મળશે કે ટેક્સ સ્લેબમાં ફરી ફેરફાર થશે? સહિતના સવાલો મહત્વના બની રહેતા હોય છે અને ચર્ચાનો પણ વિષય બની રહેતા હોય છે. કેમ કે, બજેટ એ દેશના દરેક નાગરિકને સ્પર્શે છે. તમને જણાવી દઈએ કે આ વખતે ટેક્સ સ્લેબમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં એટલે કે પગા વર્ગના લોકોને કંઈ ખાસ મળશે નહીં.


આ વખતે મોદી સરકારનું આ બજેટ 'સામાન્ય બજેટ' નહીં પરંતુ 'વચગાળાનું બજેટ' હશે. વચગાળાના બજેટના નિયમો થોડા અલગ છે. તેથી આ વખતે બજેટમાં ટેક્સ સ્લેબને લઈને કોઈ મોટા ફેરફાર કરવામાં આવશે નહીં.


વાસ્તવમાં, વચગાળાનું બજેટ એ વર્ષમાં લાવવામાં આવે છે જે વર્ષે દેશમાં નવી સરકારની રચના થવાની હોય છે. દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ બનેલી નવી સરકાર આગામી વર્ષ માટે નવું સંપૂર્ણ બજેટ લાવે છે. તેથી, ચૂંટણી પહેલા વર્તમાન સરકાર નવી સરકાર રચાય ત્યાં સુધી જ વચગાળાના બજેટમાં સંસદ દ્વારા મંજૂર કરાયેલ સરકારી ખર્ચ મેળવે છે.


આ મામલે ચૂંટણી પંચની આચારસંહિતાના નિયમો પણ સરકાર પર ભારે પડે છે. આ નિયમ મુજબ વર્તમાન સરકાર વચગાળાના બજેટમાં મતદારોને આકર્ષી શકે તેવી કોઈ જોગવાઈ કરી શકતી નથી. સરકાર ન તો કોઈ મોટી રાહત કે યોજનાની જાહેરાત કરી શકે છે અને ન તો ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરી શકે.
​​​​​​​

આપને જણાવી દઇએ કે, વર્ષ 2019માં તત્કાલિન નાણામંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી. ત્યારે આ યોજનાનો વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસની તત્કાલીન ચૂંટણી વચન ન્યાય યોજનાના પ્રતિભાવરૂપે લાવવામાં આવેલી આ યોજના હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application