ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 2019ની જેમ આ વખતે પણ 7 તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી મતદાન થશે, પરિણામ 4 જૂને આવશે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર શાયરના અંદાઝમાં દેખાયા હતા.
રાજીવ કુમારે રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર દરમિયાન વ્યક્તિગત હુમલાથી બચવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તમામ પક્ષો અને નેતાઓએ શિષ્ટાચાર જાળવવો જોઈએ. આ દરમિયાન તેમણે પ્રખ્યાત ઉર્દૂ કવિ બશીર બદ્રનો આ શેર પણ સંભળાવ્યો હતો. दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे, जब कभी हम दोस्त हो जाएं तो शर्मिंदा न हों |
543 લોકસભા સીટો માટે 7 તબક્કામાં મતદાન થશે અને ચૂંટણી પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. આ વખતે કુલ 96.88 કરોડ મતદારો ચૂંટણીમાં ભાગ લેશે. તેમાંથી 1.85 કરોડ મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના છે અને 2.38 લાખ મતદારો 100 વર્ષથી વધુ ઉંમરના છે. 88.35 લાખ વિકલાંગ મતદારો પણ છે. દેશની 543 બેઠકો પર મતદાન કરવા માટે 10.48 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech