"મને મારતા નહી..." અમૃતપાલે સરેન્ડર કરવા પંજાબ પોલીસ સામે રાખી ત્રણ શરતો

  • March 29, 2023 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમૃતપાલ સિંહ છેલા બે અઠવાડિયાથી ફરાર છે. સૂત્રો મુજબ આજે તેને હોશિયારપુર ગામમાં ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. તે અકાલ તખ્ત સામે આત્મસમર્પણ કરવા માંગે છે.

અમૃતપાલ પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી, હાલ પંજાબ પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધો છે. પંજાબના હોશિયારપુરના પંડોરી બીબી ગામમાં ADGP ગુરવિંદર સિંહ ધિલ્લોનના નેતૃત્વમાં પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને જવાનોની ટીમ દરેક જગ્યાએ તૈનાત છે. શીખોના પાંચ તખ્તોમાંથી એક શ્રી દમદમા સાહિબ, ભટિંડામાં અમૃતપાલના આત્મસમર્પણની સંભાવના છે. પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે તે સુવર્ણ મંદિરમાં આત્મસમર્પણ કરી શકે છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુવર્ણ મંદિર અને અકાલ તખ્તની આસપાસ સાદા યુનિફોર્મમાં લગભગ 500 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સુવર્ણ મંદિર નજીકના બજારો અને હોટલોમાં પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મિશન અમૃતપાલને કોઈપણ કિંમતે પોસ્ટર બોય બનતા રોકવાનો છે.

સરહદોની બહાર પણ ફોર્સ તૈનાત છે. હવે તેની પાસે ભાગવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી. અગાઉ સીસીટીવીમાં તે દિલ્હીમાં જોવા મળ્યો હતો. તે ડીયુના વિદ્યાર્થીના રૂમમાં રોકાયો હતો.


સૂત્રો મુજબ ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબ પોલીસનું ઓપરેશન સતત ચાલુ છે. આ દરમિયાન તેણે પોલીસ સમક્ષ ત્રણ શરતો મૂકી છે. વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહે કહ્યું છે કે તેમની ધરપકડને આત્મસમર્પણ તરીકે દર્શાવવી. તેને પંજાબની જેલમાં રાખવો અને જેલમાં કે પોલીસ કસ્ટડીમાં તેને માર મારવામાં ન આવે.


સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ધાર્મિક નેતાઓ પોલીસ અને અમૃતપાલ વચ્ચે વચેટિયા તરીકે કામ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે અમૃતપાલ દમદમા સાહિબમાં પણ આત્મસમર્પણ કરી શકે છે, અકાલ તખ્તના જથેદાર ત્યાં જઈ શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application