ડોકટરે મહિલાને જાહેર કર્યાં મૃત, અંતિમયાત્રા વચ્ચે ફરી થયા જીવિત, ઘરે આવી ચા પીધા બાદ ફરી થયું મૃત્યુ

  • January 08, 2023 12:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિરોઝાબાદના પ્રાઈવેટ ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરીને તેના પરિવારને સોંપી દીધી હતી. બીજી તરફ મહિલાના મોતની જાણ થતાં ગામમાં સગા-સંબંધીઓ ઉમટી પડ્યા હતા. અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ, અહીં સગાંવહાલાં મહિલાને ઘરે લઈ જઈ રહ્યા હતા ત્યારે માકણપુર નજીક તેણીને હોશ આવી ગયો હતો. ઘરે પહોંચતા જ તેણીને પરિજનોએ ચા પીવડાવી હતી. જોકે આ બાદ બીજા દિવસે સવારે મહિલાનું મોત થયું હતું. આ પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

થાણા જસરાના વિસ્તાર હેઠળના વિલાસપુર ગામના રહેવાસી સુગર સિંહની પત્ની હરિભેજી (81), તેમની તબિયત બગડતાં તેમના સંબંધીઓ દ્વારા 23 ડિસેમ્બરે ફિરોઝાબાદના ખાનગી ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવાર અને ડોકટરો તેની સંભાળ રાખતા હતા. મંગળવારે ડોક્ટરે પરિવારને જણાવ્યું કે દર્દીનો શ્વાસ બંધ થઈ ગયો છે. તેનું હૃદય અને દિમાગ મૃત બની ગયા છે. જે બાદ તેણીને મૃત જાહેર કરી અંતિમસંસ્કાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તા વચ્ચે જ મહિલા ફરી જીવિત થયા હતા જે બાદ પરિજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, ઘરે આવી મહિલા ચા પીને સુઈ ગયા હતા, જો કે, આ બાદ બીજા દિવસે સવારે તેણી ઉઠ્યા જ ન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application