જંતર-મંતર પર ધરણા પ્રદર્શન પછી 4 સ્ટાર હોટલમાં ડિનર, બજરંગ પૂનિયાનો ફોટો વાઈરલ

  • May 04, 2023 09:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




4 સ્ટાર હોટલેમાં ડિનર કરવા જતા વિવાદ : કહ્યું અમે રૂમ ભાડે રાખ્યા છે



રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે બોલાચાલીની ઘટના મોડી રાત્રે પ્રકાશમાં આવી હતી. કુસ્તીબાજોએ દિલ્હી પોલીસના કેટલાક કોન્સ્ટેબલો પર દારૂના નશામાં તેમને માર મારવાનો આરોપ લગાવ્યો હતો. જોકે આ દરમિયાન આ વિરોધને લઈને એક નવી વાત સામે આવી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો બજરંગ પુનિયા અને તેની પત્ની સંગીતા ફોગાટનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.




બંનેની આ તસવીર જંતર-મંતર પાસેની એક ફોર સ્ટાર હોટલની રેસ્ટોરાંની છે, જ્યાં બજરંગ અને સંગીતા બેઠેલા જોવા મળ્યા હતા. વિરોધ કરી રહેલા કુસ્તીબાજો વિશે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દિવસભર વિરોધ કર્યા બાદ અહીં ભોજન કરવા આવ્યા હતા. જોકે આ ફોટો પર વધી રહેલા વિવાદને જોતા હવે બજરંગ પુનિયાએ પણ પોતાનો ખુલાસો કર્યો છે.




આ વિશે મીડિયા સાથે વાત કરતાં બજરંગે કહ્યું, 'મહિલાઓને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રાઈવસીની જરૂર હોય છે. અમારી સાથે મહિલાઓ છે અને તેમને કપડાં બદલવા, સ્નાન કરવા માટે ગોપનીયતાની જરૂર છે, તેઓ જાહેર માર્ગ પર આ બધું કરી શકતા નથી.




તેમણે વધુમાં કહ્યું, 'મહિલાઓને પણ વોશરૂમની જરૂર છે. જંતર-મંતર ખાતેના વોશરૂમમાં પાણી નથી. એટલા માટે અમે લક્ઝૂરિયસ હોટેલમાં રૂમો લીધા છે. ધરણા પર બેસવાનો મતલબ એ નથી કે આપણે રસ્તા પર જ સ્નાન કરીશું.




માત્ર બજરંગ જ નહીં, સાક્ષી મલિકે પણ આ મુદ્દે વાત કરી હતી. સાક્ષીએ કહ્યું હતું કે “દિલ્હી પોલીસ લોકોમાં ખોટી માહિતી ફેલાવી રહી છે કે કુસ્તીબાજોએ વિરોધ સ્થળ છોડી દીધું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે અમે અહીં રાત્રે નથી રોકાતા, પરંતુ કોઈ પણ આવીને જોઈ શકે છે. મીડિયા હંમેશા અહીં છે. અમે અહીંથી ક્યાંય જતા નથી.



હકીકતમાં, બજરંગ, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત અન્ય ઘણા કુસ્તીબાજોએ બ્રૃજભૂષણ સિંહ પર પ્રમુખ પદ સંભાળતી વખતે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે દિલ્હી પોલીસે હવે બ્રૃજભૂષણ સિંહ વિરુદ્ધ બે FIR નોંધી છે. કુસ્તીબાજોએ માંગ કરી છે કે બ્રૃજભૂષણ સિંહ તેમના પદ તેમજ સંસદના સભ્યપદેથી રાજીનામું આપે.



તે જ સમયે, બ્રૃજભૂષણ સિંહ તેમના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમની સામે કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી અને ધરણા પર બેઠેલા આ કુસ્તીબાજો કેટલાક રાજકીય દળોના પ્રભાવ હેઠળ આવું કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application