જૂનાગઢ દામોદર કુંડ ખાતે ઋષિ પંચમે તર્પણ, પવિત્ર સ્નાન માટે ભાવિકો ઉમટી પડ્યા

  • September 20, 2023 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં આજે ઋષિ પાંચમ  નિમિત્તે દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભાદરવી અમાસને દિવસે  પિતૃ તર્પણ ન કરી શકનાર ભાવિકો આજે ઋષિ પાંચમના દિવસે પવિત્ર દામોદર કુંડમાં સ્નાન વિધિ, પીપળે પાણી રેડી અને દાન પુણ્ય કરી પુણ્યનું ભાથુ  બાંધ્યું હતું ભાદરવા મહિનાની સુદ પાંચમ ને ઋષિ પાંચમ, રખ પાંચમ કે સામાં પાંચમ તરીકે મનાવવામાં આવે છે.આ દિવસે જાણતા-અજાણતાં થયેલી ભૂલોની ક્ષમા માંગવાની પરંપરા છે, જેના માટે ખાસ કરીને સ્ત્રીઓ સપ્ત ઋષિઓનું વ્રત કરે છે, પિતૃઓને પાણી રેડે છે, તીર્થમાં સ્નાન કરે છે અને દાન-પુણ્ય કરીને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.આવતીકાલે ઋષિ પાંચમ હોવાથી જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે  આજે પિતૃ તર્પણઅને સ્નાન વિધિ માટે  માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.ઋષિ પાંચમના દિવસે મહિલાઓ અનાજ, શાકભાજી અને મીઠાનો ત્યાગ કરી, સામો(મોરૈયો) ખાય છે.જેથી તેનું એક નામ સામાં પાંચમ પણ કહેવાય છે.જે ભાવિકો ભાદરવી અમાસને દિવસે પિતૃઓને પાણી ન અર્પણ કરી શક્યા હોય, તેઓ આજે ઋષિ પાંચમના દિવસે સ્નાન વિધિ, પીપળે પાણી રેડી અને દાન પુણ્ય કરી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.જેને લઇ આજે સવારથી જ દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ ,સ્નાન વિધિ અને દાન પુણ્ય કરી ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application