આટકોટ ભાદર નદી કાંઠે ભૂગર્ભ ગટરની કામગીરી પુરી કરવા માગણી

  • November 07, 2023 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ કૈલાસનગર વિસ્તારમાં જવા આવવા માટેનો એક રસ્તો છે જે ભાદર નદીનો છે પણ અહી ભુગર્ભ ગટરનુ અડધું કામ બાકી હોય જેને લઇને લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે ગટરોના પાણી વચ્ચે ચાલવું પડે છે ચાલવા જેવો રસ્તો નથી થોડા વિસ્તારમાં ભુગર્ભ ગટર નાખી છે પણ તેમાં કનેસનો આપ્યા કે નથી હાલમાં આવાં ગટરોનાં પાણીમાં થી લોકોને ચાલવું પડે છે જો અહી થોડી ભુગર્ભ ગટર વ્યવસ્થા કરવામાં આવે તો લોકો ને પડતી મુશ્કેલીનો સામનો દુર થાય પણ ધણાં સમય થી વહીવદારને રજુઆત કરી છે હાલમાં પંચાયતમાં વહીવદારનું શાસન છે જો વહીવટદાર આ બાબતે અંગત રસ દાખવે તો હજારો લોકોના આશીર્વાદ મળે અહી ગટર પાણી મથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે મોટી ઉંમરના લોકો ને આવાં પાણી માથી ચાલવું પડે છે પડી જવાનો બનાવ પણ બન્યા છે શ્રાવણ માસમાં પણ વહીવટદારને રજૂઆત કરવામાં આવી હતી કે અહીં થોડા ગટરોનાં ભુગળા નાખી લોકોને રાહત મળે હવે વહીવદાર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application