કલ્યાણપુરમાં તરૂણીને અધૂરા મહિને અવતરેલા બાળકનું મૃત્યુ

  • March 24, 2023 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાની મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા એક શ્રમિક પરિવારની ૧૬ વર્ષીય તરુણીને ગત તારીખ ૧૦ માર્ચના રોજ એક બાળકનો જન્મ થયો હતો. સાત મહિનાના અધૂરા પોષણ બાદ અવતરેલા આ બાળકનું વજન ઓછું હોવાથી તેને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આ બાળકે અંતિમ શ્ર્વાસ લીધા હતા.


આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુરના તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા જે-તે સમયે મધ્યપ્રદેશ પોલીસને જાણ કરવામાં આવી હતી. શ્રમિક પરિવારની આ તરુણી થોડા સમય પૂર્વે જ અત્રે આવી હતી. મૃતક બાળકનું ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે મૃતક બાળકના માતાની જાણ પરથી કલ્યાણપુર પોલીસ મથકમાં જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કાર્યવાહી કરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application