ધ્રોલની પરિણીતાનું કમળાની અસર-છાતીમાં દુ:ખાવાથી મૃત્યુ

  • August 08, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના લતીપર રોડ પર રહેતી પરિણીતાને પોણા ત્રણેક વર્ષથી છાતીમાં દુ:ખાવો રહેતો અને આઠેક દિવસથી કમળાની અસર થઇ હતી, દરમ્યાન છાતીમાં દુ:ખાવો અને શ્ર્વાસની તકલીફથી સારવાર દરમ્યાન જી.જી. હોસ્પીટલ ખાતે તેણીનું મૃત્યુ નિપજયુ હતું.


ધ્રોલના લતીપર રોડ ખાતે રહેતી નીતુબેન ભરતભાઇ વાઘેલા (ઉ.વ.૨૮) નામની પરિણીતાને છેલ્લા પોણા ત્રણેક વર્ષથી છાતીમાં દુ:ખાવો થતો હોય, જેની દવા ચાલુ હતી અને છેલ્લા આઠેક દિવસથી કમળાની અસર થઇ જતા, ઉપરાંત છાતીમાં દુ:ખાવો અને શ્ર્વાસની તકલીફ ઉભી થઇ હોય તેમજ ચકકર આવતા પ્રથમ ધ્રોલ સરકારી હોસ્પીટલે અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જતા જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયુ હતું. 


આ બનાવ અંગે ભરત જીવાભાઇ વાઘેલા દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુના બનાવથી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application