કાલાવડના પીઠડીયામાં એસીડ પી લેતા મહિલાનું મોત

  • June 20, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના પીઠડીયા ગામમાં પરિણીતાએ એસીડ પી લેતા સારવારમાં દમ તોડયો હતો, જયારે ધ્રાફા રોડ પર બિમારીથી કંટાળી એક યુવાને દુકાનમાં ગળાફંાસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.


કાલાવડના પીઠડીયા ગામમાં રહેતી મધુબેન દીલુભાઇ પરમાર (ઉ.વ.૪૫) નામની પરિણીતાએ બે દિવસ પહેલા કોઇ કારણસર એસીડ પી લેતા કાલાવડ સરકારી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલ લઇ જવામાં આવેલ ત્યાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે દિલુ નાથાભાઇ પરમાર દ્વારા ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ લંબાવવામાં આવી છે.


બીજા બનાવમાં જામજોધપુરના ધ્રાફા રોડ, ગાયત્રી મંદિર પાસે રહેતા શરદકુમાર ચંદુભાઇ ખાંટ (ઉ.વ.૪૮) નામના યુવાને બિમારીથી કંટાળીને ગઇકાલે ધ્રાફા રોડ પર આવેલી દુકાનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ હીનાબેન શરદકુમાર દ્વારા જામજોધપુર પોલીસમાં કરવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application