પાર્ટીઓને મળેલા દાન પર કરમુક્તિના કારણે જનતાને થયું 4,000 કરોડ રૂપિયાનું નુકસાન

  • July 31, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


2022-23માં રાજકીય પક્ષોને મળેલા દાન પર કરમુક્તિના કારણે કેન્દ્ર સરકારને 3967.54 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. આવકવેરામાં મુક્તિનો આ નિયમ ભલે સરકારે બનાવ્યો હોય પરંતુ વાસ્તવમાં તેનાથી જનતાની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે. આ રકમથી વિકાસના અનેક કામો થઈ શકશે. કોર્પોરેટ કંપ્નીઓ ઉપરાંત, કર મુક્તિના લાભાર્થીઓમાં ફર્મ, એચયુએફ (હિંદુ અવિભાજિત કુટુંબ) અને વ્યક્તિગત કરદાતાઓનો સમાવેશ થાય છે.
સત્તાવાર માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે દાન પર છૂટ આપીને છેલ્લા નવ વર્ષમાં રાજકીય પક્ષોને લગભગ 12270 કરોડ રૂપિયાની ટેક્સ છૂટ આપી છે. વર્ષ 2014-15માં આ રકમ માત્ર 170 કરોડ રૂપિયા હતી, જે 2022-23 સુધીમાં લગભગ 4000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. છેલ્લા નાણાકીય વર્ષ 2023-24ના ડેટાની હજુ રાહ જોવાઈ રહી છે.
આવકવેરા કાયદામાં રાજકીય પક્ષોને કાયદેસરની નાણાકીય સહાય માટે કર મુક્તિની જોગવાઈ છે. અધિનિયમની કલમ 80જીજીબી અને 80જીજીસી મુજબ, કુલ આવકમાંથી બાદ કરીને ભારતીય કંપ્નીઓ, પેઢીઓ, સંસ્થા, વ્યક્તિઓ અથવા અડધા કરદાતાઓ દ્વારા રાજકીય પક્ષોને ચેક, ઓનલાઈન કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા દાનની રકમ પર આવકવેરો ગણવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application