પારડીમાં ગઇકાલે પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ બાદ તેણીના માવતરે પતિ સહિતના ત્રાસથી દીકરી આ પગલું ભરવા મજબુર બની હોવાની જણાવી આ અંગે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે પરિણીતાના પતિ અને સાસુ-મોટા સસરા સામે ગુનો આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, પારડીમાં રહેતાં પ્રભાબેન ઉર્ફે પ્ન્ટિુબેન સાગરભાઈ સોલંકી (ઉ.વ.૨૮) એ ગઇકાલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ અંગે તેણીના ભાઇ ભરતભાઇ નાથભાઇ ચૌહાણ(રહે.હાલ રાજકોટ આંબેડકરનગર, મૂળ નાનાવડા કાલાવડ) ની ફરિયાદ પરથી શાપર પોલીસે પરિણીતાના પતિ સાગર રમેશભાઇ સોલંકી,સાસુ હંસાબેન રમેશભાઇ સોલંકી અને મોટા સસરા મનજીભાઇ સોલંકી સામે આપઘાતની ફરજ પાડવા અંગે આઇપીસીની કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં ભરતભાઈએ જણાવ્યું હતું કે, તેની બહેન પ્રભાવ ઉર્ફે પીન્ટુના સાગર સોલંકી સાથે આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા હતાં. પતિને દારૂ પીવાની કુટેવ હોય તે દારૂ પી મારકૂટ કરતો હતો તેમજ તેણીના સાસુ અને મોટા સસરા પણ અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ વારંવાર માવતરના ઘરેથી પૈસા લઈ આવવા માટે દબાણ કરતા હતા. આ ત્રાસથી કંટાળી જઈ પીન્ટુએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે પરિણીતાના ભાઈની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
વધુમાં મળતી વિગતો મુજબ આપઘાત કરનાર પ્રભાબેન ઉર્ફે પીન્ટુબેન નો લગ્ન ગાળો ૧૧ વર્ષમાં હતો અને તેમને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે તેઓ મકાનમાં ઉપરના માળે તેના પતિ સાથે રહેતા અને નિચે તેણીના સાસુ-સસરા રહે છે. ગઈકાલે બપોરે બે વાગ્યે તેનો પુત્ર જમીને નિચે રહેતાં દાદાના પાસે અભ્યાસ કરવા માટે ગયો હતો.બાદમાં તેણીએ પંખાના હુકમાં દોરડા વડે ફાંસો ખાઈ લીધો હતો. બાદમાં તેણીનો પુત્રએ દરવાજો ખખડાવતાં દરવાજો ન ખોલતાં પડોશી દોડી આવ્યા હતાં. અને દરવાજો તોડી અંદર જોતા મહીલા લટકેલા જોવા મળ્યા હતાં. મૃતકના પતિ કારખાનામાં નોકરી કરે છે. અને દંપતિ વચ્ચે થતાં ગૃહકલેશના કારણે પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું.તેમજ પરિણીતાના રાજકોટના આંબેડકર નગરમાં રહેતા માવતરે તેના પતિ સહીતનો સાસરીયાઓએ તેમની પુત્રીને મરવા મજબુર કર્યાનો આક્ષેપ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech