આ કેસની ટુંકી વિગત એવી છે કે, પ્રેમચંદ શેઠ કોલોની શેરી નં. ર ખાતે રહેતા હરિશ સુંદરદાસ નાનવાણીના રહેણાંક વાળી જગ્યાએ જાહેર રાહ રસ્તો આવેલ હોય અને આ જાહેર રાહ રસ્તાનું કોલોનીમાં રહેતા લોકો તથા કોલોનીમાં અવર જવર કરતા લોકો તથા આડોશ પાડોશના લતાવાસીઓ અવર જવર તેમજ વાહન વ્યવહાર માટે ઉપયોગ કરતા આવતા હોય.
અને છેલ્લા થોડા દિવસોથી જ્ઞાનેશ સાવલા, રાજુભાઇ ગ્રાફીકવાળા, મુકેશ લીલારામ આશવાણી, હરિશ સેવરામ આશવાણી, નિલેષ માલદે, રાજકુમાર સુંદરદાસ સંગતાણી, મોતીલાલ વઘ્યોમલ હરજાણવાળાઓ એકબીજાને મદદગારી કરી ગેરકાયદેસર રીતે અને અનઅધિકૃત રીતે સરકારી કોઇ રજા પરવાનગી લીધા વગર પોતાને અંગત ફાયદો થાય તેમજ કોલોનીમાં તેમજ આડોશપાડોશમાં રહેતા અને વેપાર ધંધો કરતા લોકોને નુકશાન પહોંચાડવાના તથા હેરાન કરવાના તથા ત્રાસ આપવાના બદ ઇરાદે રાહ રસ્તાની વચ્ચોવચ્ચ અડચણરૂપ થાંભલાનાખી દીધેલ હોય અને જેનાથી રીક્ષા, એમ્બ્યુલન્સ પ્રવેશ ન કરી શકતા હોય અને હાલાકી થતી હોય અને હેરાનગતી થતી હોયજે બાબતે અગાઉ કોલોનીના મેમ્બર્સ તથા લતાવાસીઓએ એસ્ટેટ શાખાને લગત ઉચ્ચ ઓથોરીટીને લેખિત ફરિયાદ આપેલ હોય અનેએસ્ટેટ શાખા રોજકામ કરવા આવેલ હોય પરંતુ રાજકીય ભલામણ અને દબાણના કારણ સબબ નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી ન કરી અવરોધરૂપ ત્રાસદાય રીતે ઉભા કરેલા લોખંડના થાંભલા દુર કરવાનું માત્ર પ્રતિવાદીઓને કહી ચાલ્યા ગયેલા હોય અને રાજકીય દબાણમાં આવી જઇ કોઇ કાયદેસરની કાર્યવાહી ન કરતા વાદી હરિશ સુૈ:દરદાસ નાનવાણી તથા અન્ય રહેવાસીઓએ પ્રતિવાદીઓએ અંગત ફાયદા ખાતર ગેરકાયદેસર રીતે રાહ રસ્તાની વચ્ચોવચ્ચ અવરોધરૂપ નાંખેલા લોખંડના થાંભલા દુર કરવા તથા ત્રાસ અને હેરાનગતિ દુર કરવા બાબતે પ્રતિવાદીઓ વિરુદ્ધ જામનગર અદાલત ખાતે ધોરણસરનો દાવો દાખલ કરેલ છે.
આ કેસમાં વાદી તરફેવકીલ ઉમર એ. લાકડાવાલા રોકાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech