દારૂના ગુનાના આરોપીને માર મારવાના પ્રકરણમાં સુરેન્દ્રનગર એલ.સી.બી.ના તત્કાલીન પી.આઈ.એન.કે.વ્યાસને બીનત્હોમત મુકત કરવાનો સાયલા કોર્ટનો હુકમ લીંબડી સેશન્સ કોર્ટે અમાન્ય રાખી પીઆઇ ચાર્જ કરવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, નાના હરણીયા ગામે રહેતા વનરાજભાઈ અમરાભાઈ ખાચર અને અન્ય લોકો વિરૂધ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હો નોંધાયેલ આ ગુન્હાની તપાસ સર્ચ-ન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ સંભાળેલ હતી અને વનરાજભાઈ ખાચર ખનના ગુન્હામાં બોટાદ જેલમાં હોય જેથી ટ્રાન્સફર વોરંટના આધારે તેનો કબજો સુરેન્દ્રનગર એલ.સી.બી.એ મેળવી તેઓની ધરપકડ પ્રોહીબીશનના ગુન્હામાં કરેલ સુરેન્દ્રનગર એલ.સી.બી.ના તત્કાલીન પી.આઈ એન.કે.વ્યાસે વનરાજ ખાચરના રીમાન્ડ ની માંગણી સાયલા કોર્ટમાં કરતા સાયલા કોર્ટે રીમાન્ડ મંજર કરી રીમાન્ડ ઉપર સોંપેલ ત્યારબાદ તા.૫-૧૦-૨૦૧૭ ના રોજ સવારના સમર્થ પી.આઈ. એન.કે.વ્યાસે રીમાન્ડ પર રહેલા વનરાજ ખાચરને એલ.સી.બી. પોલીસ સ્ટેશનની લોબીમાં ઉધા સુવડાવી અન્ય પોલીસ કર્મચારીઓને તેની ઉપર બેસાડી લાકડી વતી બેફામ માર મારવાનું ચાલુ કરેલ અને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ લાકડીના મારના કારણે કરીયાદીને ઈજાઓ થયેલ અને પગની આંગળીમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા થયેલ આ અંગેની ફરીયાદ વનરાજભાઈ ખાચરે સાયલા કોર્ટમાં કરતા સાયલા કોર્ટે ફરીયાદ નોંધી ડીસ્ટ્રીક કોટ સુરેન્દ્રનગરને ફરીયાદ મોકલેલ ડીસ્ટ્રીકટ કોર્ટ સુરેન્દ્રનગરએ આ ફરીયાદમાં ઇન્કવાયરીનો હુકમ કરેલ અને ઈન્કવાયરી પુરી થયા બાદ ફોજદારી કેસ તરીકે રજીસ્ટર લેવા હુકમ કરેલ.ત્યારબાદ સાયલા કોર્ટે આ કેસ ફોજદારી તરીકે રજીસ્ટરે લઈ આગળની કાર્યવાહી કરેલ આ કેસમાં સાયલા કોર્ટ દ્વારા પી.આઈ.એન.કે.વ્યાસને શંકાનો લાભ આપી બીનત્હોમતમુકત કરવાનો હુકમ કર્યો હતો.
આ હુકમથી નારાજ થઈ આ કામના ફરીયાદી વનરાજભાઈ ખાચરે તેમના એડવોકેટ મારફત લીંબડી સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી ફાઈલ કરેલ અને સાયલા કોર્ટના હુકમને રદ કરવા દાદ માંગી હતી.બંનેપક્ષની રજુઆત અને દલીલને ધ્યાને લઇ લીંબડી સેશન્સ કોર્ટે પી.આઈ.એન.કે.વ્યાસને બીનત્હોમત છોડી મુકવાનો હુકમ રદ કરી તેઓ સામે ચાર્જ કરવાનો હુકમ કર્યો છે.આ કામમાં ફરીયાદી વનરાજભાઈ ખાચર વતી એડવોકેટ રધુવીર બસીયા તથા વિજય પટગીર રોકાયેલ હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech