જામનગરમાં નંદનવન સોસાયટીમાં રહેતા હિતેષ રમેશભાઇ ભટ્ટીનાં લગ્ન રાજકોટ રહેતાશિતલબેન બાબુભાઇ ચૌહાણસાથેથયેલાં તેમનાંપત્ની ત્રણેક વર્ષ પહેલાંતેમના પતિનો કોઇ વાંક ગુન્હોન હોવા છતાંપોતાના માવતરે ચાલ્યા ગયેલ ત્યારબાદ સમાધાન કરી તેમનાં પતિના ઘરેપરત આવેલા ત્યારબાદ તેમના પતિ એટલેકે અરજદાર સાથે વારંવાર ઝઘડો કર્યા કરતા ત્યારબાદ વારંવાર માવતરે ચાલ્યા જતા અને પતિ મજુરી કામે ગયેલ હોય તે દરમ્યાન તેઓ કોઇને કહ્યા વિના ચાલ્યા જાય પતિ ઘરે પરત આવે ત્યારે આજુબાજુના લોકો કહે કે તમારા પત્નિ ચાલ્યા ગયેલછે ત્યારે પતિને આ બાબતની ખબર પડતી. ત્યારબાદ પતિ વારંવાર સમાધાન કરી પરત પોતાની પત્નીને બોલાવી લાવેલા આમ કુલ દસેક વખત પત્ની સાથેસમાધાન કરી પરત ઘરે લાવેલા અનેપત્ની જયારે માવતરે જતી ત્યારે ભરણપોષણના કેસ કરતી કુલ ત્રણ વખત ભરણપોષણના કેસો કરેલ અને સમાધાન કરી કેસો પરત ખેંચીલઇ પતિ સાથે રહેવા આવતા છેલ્લે પોતાના પતિસાથે વિના કારણે ઝઘડો કરી પોતાના માવતરે જતા રહેલ આ બાબતની પતિદેવે જામનગરની ફેમીલી કોર્ટમાં છુટાછેડા મેળવવા અરજી કરેલ જેમાં પતિ તરફે એવી દલીલો કરવામાં આવેલ કે પત્ની વારંવાર રિસામણે ચાલ્યા જતા, વારંવાર ભરણપોષણના કેસો કરતા, પતિ તથા તેના પરિવારના સભ્યોની સામે ખોટા પોલીસ કેસ કરવાની ધમકી આપતા તેમજ છુટાછેડા કરવાની ધમકી આપતા, પતિની સહમતી વગર પોતાના માવતરે જતી રહેતી, કોઇ ખાસ કારણ વગર પતિથી અલગ રહેતી હોય, પત્ની વાજબી કારણ વગર સમાધાન કરવા તૈયાર ન હોય કે સાથે રહેતી ન હોય વગેરે દલીલો કરતાં ફેમીલી કોર્ટે અરજદાર પતિદેવની અરજી મંજુર કરી છુટાછેડાનો હુકમ પ્રિન્સીપાલ ફેમીલી કોર્ટના જજ એમ.એસ. સોનીએ કરેલ. આ કેસમાં વકીલ સુરેશ વી. પરમાર, અનિલ વી. પરમાર તથા પરેશ પી. નકુમ રોકાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech