સિયાચીનમાં દેશના પ્રથમ અગ્નિવીરે શહીદી વહોરી, સેનાએ આપી ભાવુક વિદાય

  • October 22, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લદ્દાખના સિયાચીનમાં ભારતીય સેનાના બહાદુર જવાન અક્ષય લક્ષ્મણ શહીદ થયા છે. ફરજ દરમિયાન શહીદ થનાર તે પ્રથમ અગ્નિવીર બહાદુર સૈનિક છે. લક્ષ્મણ ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સનો ભાગ હતા. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લક્ષ્મણને શ્રદ્ધાંજલિ આપી છે. 


સેનાએ કહ્યું છે કે તે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત હતા. સેનાના સૂત્રોએ જણાવ્યું છે કે બલિદાન આપનાર સૈનિકના નશ્વર દેહને આજે તેમના ઘરે મોકલવામાં આવશે. સેનાના સૂત્રોએ જણાવ્યું છે કે અક્ષય લક્ષ્મણ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો. લેહ ખાતેના મુખ્ય મથક ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સમાં તેમને પ્રથમ પોસ્ટિંગ મળી હતી. 

સિયાચીન ગ્લેશિયર ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત છે, જેને વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધ શિખર કહેવામાં આવે છે. અહીં તાપમાન શૂન્યથી નીચે છે જેના કારણે ડ્યુટી સરળ નથી. ભારતીય સેનામાં અગ્નિ વીરની નિમણૂક જૂન 2022માં શરૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application