ભીમવાસમાં યુવાન પર મસાલો ખાવા બાબતે તકરાર

  • March 24, 2023 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વિસ્તારમાં રહેતા એક યુવાન પર મસાલો ખાવાના પ્રશ્ને તકરાર થયા પછી દુકાનદાર અને તેના ભાઈ તથા પુત્ર વગેરે ત્રણ શખ્સોએ હુમલો કરી વાહનમાં તોડફોડ કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.


જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતી શિતલબેન અશોકભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ભાઈ પર હુમલો કરી તેના વાહનમાં તોડફોડ કરવા અંગે પાડોશમાંજ પાન-મસાલાની દુકાન ધરાવતા જીગ્નેશ નરશીભાઈ, તેનાભાઈ અજીત નરશીભાઈ, અને પુત્ર હર્ષ જીગ્નેશભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.


ફરિયાદીનો ભાઈ બાઇક લઇને જીજે૧૦સીએલ-૧૧૪૦ લઇને પાન-મસાલો ખાવા ગયો હતો, ત્યારે તકરાર થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સિટી બી. ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application