રાજકોટ શહેરના બાલાજી મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર કોઠારી દ્વારા આ જગ્યા પર રેતી અને કપચી પાથરી ગણપતિ મહોત્સવનું આયોજન ન કરવા અંગે પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈને સનાતન ધર્મ V/S સ્વામિનારાયણ સંપ્રદાય જેવો ઘાટ સર્જાયો હતો. સલાહ 13 વર્ષથી જે જગ્યા પર ગણપતિ મહોત્સવનું આયોજન થાય છે ત્યાં એકાએક મનાઈ ફરમાવવામાં આવતા સનાતનીઓ પણ રોષે ભરાયા હતા. સમગ્ર મામલે ગઈકાલે રાત્રે પોલીસ કમિશનરે પણ બંધ બારણે સ્વામી સાથે બેઠક યોજી હતી. જોકે આ મુદ્દે ગણપતિ મહોત્સવના આયોજકો ની જીત થઈ છે. આ જગ્યા પર ગણપતિ મહોત્સવ માટેની મંજૂરી મળી ગઈ છે. જે મુદ્દે આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્વનું નિવેદન આપ્યું છે. આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ સ્વામી વિવેક સાગર કોઠારી સાથે બેઠક યોજી છે. અંતે ગણેશ મહોત્સવના આયોજકોની જીત થઈ છે અને આ જગ્યા પર જ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજી-2 ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલાયા, હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
July 02, 2024 07:44 PMધોરાજી પાસેનો ભાદર-2 ડેમ 100 ટકા ભરાયો, હેઠવાસના આ ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ
July 02, 2024 07:36 PMયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech