રાજકોટમાં બાલાજી મંદિરમાં ગણપતિ મહોત્સવના વિવાદનો અંત, આ જગ્યા પર જ આ વખતે પણ યોજાશે ગણેશ મહોત્સવ : શહેર ભાજપ પ્રમુખ

  • September 16, 2023 11:53 AM 


રાજકોટ શહેરના બાલાજી મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર કોઠારી દ્વારા આ જગ્યા પર રેતી અને કપચી પાથરી ગણપતિ મહોત્સવનું આયોજન ન કરવા અંગે પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈને સનાતન ધર્મ V/S સ્વામિનારાયણ સંપ્રદાય જેવો ઘાટ સર્જાયો હતો. સલાહ 13 વર્ષથી જે જગ્યા પર ગણપતિ મહોત્સવનું આયોજન થાય છે ત્યાં એકાએક મનાઈ ફરમાવવામાં આવતા સનાતનીઓ પણ રોષે ભરાયા હતા. સમગ્ર મામલે ગઈકાલે રાત્રે પોલીસ કમિશનરે પણ બંધ બારણે સ્વામી સાથે બેઠક યોજી હતી. જોકે આ મુદ્દે ગણપતિ મહોત્સવના આયોજકો ની જીત થઈ છે. આ જગ્યા પર ગણપતિ મહોત્સવ માટેની મંજૂરી મળી ગઈ છે. જે મુદ્દે આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્વનું નિવેદન આપ્યું છે. આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ સ્વામી વિવેક સાગર કોઠારી સાથે બેઠક યોજી છે. અંતે ગણેશ મહોત્સવના આયોજકોની જીત થઈ છે અને આ જગ્યા પર જ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application