IPLમાં વિવાદ : 'કોઈકનો કચરો, કોઈક માટે ખજાનો છે...', દિગ્ગજ ક્રિકેટરે આ ખેલાડી પર વિવાદિત નિવેદન પર ફેન્સનો રોષ ભભૂક્યો

  • March 26, 2024 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓન-એર કમેન્ટ કરતા પૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિકે આરસીબીના પ્લેયરને કચરો ગણાવતા ફેન્સે અને આરસીબીએ સોશિયલ મીડિયા પર કાઢી ઝાટકણી 


ગઈકાલે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. જો કે, ક્રિકેટ ફેન્સ અને ટ્રોલર્સની નજર હાર્દિક પંડ્યા પરથી હટીને  પૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિક પર પડી છે, હમેશા વિવાદિત નિવેદનો આપવા માટે જાણીતા સ્પિનર મુરલી કાર્તિકે યશ દયાલ પરની ઓન-એર ટિપ્પણી માટે સોશિયલ મીડિયા ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. 


યશ દયાલે પંજાબ કિંગ્સ સામે 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી હતી. ગત સિઝનમાં રિંકુ સિંહે યશ દયાલના 5 બોલમાં સતત 5 સિક્સર ફટકારી હતી. પરંતુ આ સિઝનમાં તેણે જોરદાર વાપસી કરી હતી. આઈપીએલ ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યશ દયાલને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિકે યશને ટાર્ગેટ કરતા ઓન-એર કહ્યું છે કે 'કોઈકનો કચરો એ કોઈકનો ખજાનો છે...’ પરંતુ ક્રિકેટ ચાહકોને પૂર્વ સ્પિનરની વાત પસંદ ન આવી. 


આ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા યશ દયાલનો ફોટો શેર કર્યો છે. આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે- હા, તે ખરેખર ખજાનો છે. સોશિયલ મીડિયા યુઝર્સ મુરલી કાર્તિકની ટિપ્પણી પર સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે યશ દયાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉભરતું નામ છે. તેણે આઈપીએલમાં 16 મેચ રમી છે. જેમાં 34.13ની એવરેજ સાથે 15 બેટ્સમેનોને તેનો શિકાર બનાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application