આદિપુરુષમાં વિવાદાસ્પદ સંવાદો બદલાયા... 'જલેગી તેરે બાપ કી' અને બીજા અન્યમાં થયા આટલા ફેરફાર

  • June 22, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રભાસ સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સ, કોસ્ચ્યુમ અને સ્ટાર કાસ્ટને લઈને ફિલ્મના મેકર્સ સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મને લઈને યુઝર્સની ઘણી નકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી હતી. હવે ફિલ્મના નિર્માતાઓએ પુષ્ટિ કરી છે કે વિવાદાસ્પદ સંવાદોને સંપાદિત કરીને નવા સંવાદો સાથે બદલવામાં આવ્યા છે. ટી-સિરીઝ વતી માહિતી આપવામાં આવી છે કે હવે ફિલ્મનું એડિટેડ વર્ઝન માત્ર સિનેમાઘરોમાં જ બતાવવામાં આવી રહ્યું છે.


આદિપુરુષની રિલીઝના થોડા સમય પછી, ફિલ્મને ટ્રિમ કરીને બદલવી પડી. ફિલ્મના કેટલાક ભાગો પર દર્શકોના એક વર્ગ દ્વારા સખત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ફિલ્મના ડાયલોગમાં કેટલીક લાઈનોને લઈને લોકોને વાંધો હતો.


ફિલ્મ પર લોકોએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ લગાવ્યો હતો. લોકોએ ફિલ્મના લેખક મનોજ મુન્તાશીરે લખેલા કેટલાક સંવાદોને ગલીછપ ગણાવ્યા અને તેને સૌથી મોટા ગ્રંથ રામાયણનું અપમાન ગણાવ્યું.


1. 'तू अंदर कैसे घुसा, तू जानता भी है कौन हूं मैं'...इस संवाद को अब बदलकर 'तुम अंदर कैसे घुसे, तुम जानते भी हो कौन हूं मैं' कर दिया गया है.


2.'कपड़ा तेरे बाप का...तो जलेगी भी तेरे बाप की' ...इस संवाद को बदलकर अब 'कपड़ा तेरी लंका का ...तो जलेगी भी तेरी लंका' कर दिया गया.


3. 'जो हमारी बहनों...उनकी लंका लगा देंगे' को भी बदला गया है. अब फिल्म में ये संवाद होगा 'जो हमारी बहनों...उनकी लंका में आग लगा देंगे'.


4. 'मेरे एक सपोले ने तुम्हारे शेषनाग को लंबा कर दिया' को बदलकर 'मेरे एक सपोले ने तुम्हारे शेषनाग को समाप्त कर दिया'





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application