ઢેબર રોડ ઉપર વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ પૂર્ણ થાય ત્યાંથી બ્રિજ શરૂ થશે: પીડીએમ કોલેજ સામેના હાઇરાઇઝ બિલ્ડીંગ પાસે પૂર્ણ થશે
રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૭ના ઢેબર રોડ સાઉથ અને વોર્ડ નં.૧૩ના ગોંડલ રોડની બરાબર વચ્ચે આવેલા પી.ડી.માલવીયા કોલેજના રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવા માટેનું આયોજન આગળ ધપી રહ્યું છે. તાજેતરમાં જ કપાતનો સર્વે પૂર્ણ થયા બાદ ડિઝાઇનની પ્રક્રિયા આગળ ધપી છે જેમાં પીડીએમ ફાટકે ઝેડ આકારનો અન્ડરબ્રિજ બનાવવા પ્રાથમિક વિચારણા હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.
મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઢેબર રોડ ઉપર વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ પૂર્ણ થાય ત્યાંથી આગળથી બ્રિજ શરૂ થશે અને પીડીએમ કોલેજ સામેના હાઇરાઇઝ બિલ્ડીંગ પાસે પૂર્ણ થશે તેવું પ્રાથમિક આયોજન છે. હવે આ મામલે સ્થાનિક સ્તરે બેઠક યોજાશે ત્યારબાદ બધું વધુ સુનિશ્ચિત થશે. અહીં અંડર બ્રિજ બનાવવો કે ઓવરબ્રિજ તે પણ હજુ સુધી નક્કી થયું નથી પરંતુ વિસ્તારની ભૂગોળ જોતા અહીં અન્ડર બ્રિજ વધુ ફિઝિબલ રહે તેવો મત છે. ટૂંક સમયમાં આ અંગે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અને કન્સલ્ટન્ટ એજન્સીને પત્ર પાઠવવામાં આવશે.
વિશેષમાં સુત્રોએ ઉમેર્યું હતું કે ગોંડલ રોડ અને ઢેબર રોડ તરફની અનેક રહેણાંક અને વાણિજ્યક મિલકતો કપાત કરાય તો જ બ્રિજ નિર્માણ શક્ય બને તેમ છે. બીજી બાજુ ઢેબર રોડ અને ગોંડલ રોડ ઉપર સતત વધતા જતા ટ્રાફિકને ધ્યાને લઇ ભવિષ્યની કલ્પના કરી અહીં બ્રિજ બનાવવો જરૂરી છે.કપાતના વળતર સ્વરૂપે અસરગ્રસ્તોને ત્રણ વિકલ્પ અપાશે જેમાં કપાતમાં જતી મિલકત સામે રોકડ રકમનું વળતર, જમીન સામે જમીન અથવા એફએસઆઇ અપાશે. કપાતના અસરગ્રસ્તોએ આ ત્રણમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે પીડીએમ ફાટકે બ્રિજ પ્રોજેકટમાં અમુક મિલકતો અંશતઃ તો અમુક અડધી તો અમુક સંપૂર્ણ કપાત થાય તેમ છે. અંદાજે ૫૦થી ૬૦ મિલકતો કપાત થાય તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech