ખડગે અને જયરામ રમેશે કોંગ્રેસના ચુંટણી વાયદાઓ જણાવ્યા : મોદી સરકારે છેલ્લા બે વર્ષમાં સાત કરોડ લોકો પાસેથી "કામ કરવાનો અધિકાર" છીનવી લીધો : ખડગે
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના છેલ્લા 10 વર્ષ કામદારો માટે 'અન્યાય સમય' રહ્યા છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ એમ પણ કહ્યું કે જો તે સત્તામાં આવશે, તો તે 'શ્રમ ન્યાય' દ્વારા કામદારો માટેના અન્યાયના અંધકારને દૂર કરશે. કોંગ્રેસે વચન આપ્યું હતું કે જો સત્તામાં આવશે તો તેઓ દેશભરમાં લઘુત્તમ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિદિન કરશે અને મનરેગા માટે પણ આ જ વેતન લાગુ પડશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 'એક્સ' પર એક પોસ્ટમાં કહ્યું, કોંગ્રેસ પાર્ટી 'શ્રમિક ન્યાય' શા માટે લાવી છે? મોદી સરકારના કાર્યકાળ દરમિયાન 2014-15 અને 2021-22 ની વચ્ચે વાસ્તવિક વેતનનો વૃદ્ધિ દર દર વર્ષે 1% કરતા ઓછો હતો. અને ખેત મજૂરો માટે માત્ર 0.9%, બાંધકામ કામદારો માટે માત્ર 0.2% અને બિન-ખેતી કામદારો માટે માત્ર 0.3% હતો. તેમણે દાવો કર્યો કે, યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)ના બીજા કાર્યકાળ દરમિયાન, વાસ્તવિક કૃષિ અને બિન-કૃષિ ગ્રામીણ વેતન અનુક્રમે 8.6% અને 6.9% વાર્ષિક દરે વધ્યું, તેનાથી વિપરીત, મોદી સરકારના બીજા કાર્યકાળમાં, વાસ્તવિક ગ્રામીણ વેતનનો વૃદ્ધિ દર કૃષિ (-0.6%) અને બિન-કૃષિ ગ્રામીણ વેતન (-1.4%) બંને માટે નકારાત્મક બન્યો છે.
ખડગેએ આરોપ લગાવ્યો કે મનરેગામાં આધાર દ્વારા ફરજિયાત ચુકવણી કરીને, મોદી સરકારે છેલ્લા બે વર્ષમાં સાત કરોડ લોકો પાસેથી "કામ કરવાનો અધિકાર" છીનવી લીધો છે. કોંગ્રેસ પાર્ટીના 'શ્રમ ન્યાય' હેઠળ આપવામાં આવેલી પાંચ 'ગેરંટી'નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, પણ હવે સ્થિતિ બદલાશે. તો બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભારતમાં કામદારોને થતા છ મુખ્ય અન્યાય પર એક પોસ્ટ કરી - વાસ્તવિક વેતનમાં ઘટાડો, કામદાર વિરોધી લેબર કોડ અને કોન્ટ્રાક્ટ પ્રથામાં વધારો, મોદી દ્વારા નિર્મિત ડી-ઔદ્યોગિકીકરણ, નિયમિત વેતનની નોકરીઓમાં ઘટાડો, સ્વ રોજગારમાં વધારો, મનરેગા કોવિડ-19 દરમિયાન મજૂરીની ધીમે ધીમે નાબૂદી અને કામદારો પ્રત્યે ઉદાસીન વલણ.
કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે પત્રકારોને જણાવ્યું હતું કે, 'શ્રમ ન્યાય' પાછળનો સંદર્ભ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોદી સરકારની સૌથી ખરાબ અસર એ વિસ્તારોમાં પડી છે જ્યાં આપણા ખેત મજૂરો, અને શ્રમિકો કામ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, “2016-17થી 41 ટકા લોકો ખેતી પર નિર્ભર હતા. પીએલએફએસના ડેટા અનુસાર, 2018-19 સુધીમાં 3 કરોડથી વધુ લોકો કૃષિ ક્ષેત્રમાં ગયા હતા. 2014-15 પછી, લગભગ 6.5 કરોડ લોકોએ અન્ય સ્થળોએથી રોજગાર છોડીને ખેતીમાં ઝંપલાવ્યું છે. ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. એક તરફ વડાપ્રધાન મોદી 'મેક ઈન ઈન્ડિયા'નો નારો આપી રહ્યા છે તો બીજી તરફ લોકો રોજગાર છોડીને ખેતીમાં જઈ રહ્યા છે.
દીક્ષિતે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે મોદી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કામદાર વિરોધી શ્રમ સંહિતાની વ્યાપક સમીક્ષા કરશે. તેમણે એમ પણ કહ્યું, “અમે કામદારોના અધિકારોના રક્ષણ માટે યોગ્ય સુધારાની ખાતરી પણ આપીએ છીએ. કોંગ્રેસ મુખ્ય સરકારી કામોમાં નોકરી માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરશે. કોન્ટ્રાક્ટ લેબર એ માત્ર છેલ્લો વિકલ્પ હશે, જે કામદારોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરશે. ખાનગી ક્ષેત્રો માટે પણ કરાર રોજગારમાં સામાજિક સુરક્ષાનું પાલન કરવું જરૂરી બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech