જિલ્લામાં ૩૨ નાયબ મામલતદારોની અરસ-પરસ બદલી કરતાં કલેક્ટર

  • August 09, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં લાંબા સમય બાદ જિલ્લા કલેકટર બીજલ શાહે ૩૨ નાયબ મામલતદારોની અરસ-પરસ બદલી કરી છે, કેટલીક મહત્વની પોસ્ટ ઉપર ચીટકી રહેલા નાયબ મામલતદારોને પણ દુર કરી દેવામાં આવ્યા છે. 

જાહેર હિત અને વહીવટી સરળતા માટે નાયબ મામલતદાર સંવર્ગના ૩ર અધિકારીની બદલીનો આદેશ જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. જે ૩ર નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે.

તેમાં કલેક્ટર કચેરી (જમીન) શાખાના બી.કે. ચોવટીયાને ઈ-ધારા - જોડિયા, કલેક્ટર કચેરી (વહીવટ) ના એ.પી. ચાવડાને પ્રાંત કચેરી જામનગર (શહેર), કલેક્ટર કચેરી (બર્જર) ના આર.સી. તેરૈયાને મદદનીશ હિસાબનીશ તરીકે જિલ્લા પુરવઠા કચેરીમાં, ચૂંટણી શાખાના ડી.વી. નંદાસણાને વસુલાત અધિકારી (ના.ક. સ્ટેમ્પ ડ્યુટી), જિલ્લા પુરવઠા કચેરીના આર.એમ. સુવાને ધ્રોલ પ્રાંત કચેરી, જિલ્લા પુરવઠા કચેરીના યુ.ડી. છોટાઈને ઝોનલ ઓફિસર-ર જિલ્લા પુરવઠા કચેરી, ઝોનલ-ર, જિ.૫ુ. કચેરીના નિલેષ બાવરીયાને સર્કલ ઓફિસર-લાલપુર, આર.આર. પરીખ જિલ્લા પુરવઠા કચેરીમાંથી કલેક્ટર કચરી (બજેટ)માં, જે.કે. પરમાર જામનગર - ગ્રામ્ય પ્રાંત કચેરીમાંથી કાલાવડમાં (મભય, તપસ), ધ્રોલ શીરસ્તેદાર વી.પી. કાનાણીને જોડિયા (પુરવઠા), સર્કલ ઓફિસર (શહેર) એમ.એન. તાળાને કલેક્ટર કચેરી, જામનગર (ગ્રામ્ય) ડિઝાસ્ટરના પી.આાર. પરમારને જમીન શાખા (કલેક્ટર કચેરી), પુરવઠામાંથી વી.પી. જાડેજાને સર્કલ ઓફિસર, જામનગર (ગ્રામ્ય), જામનગર (ગ્રામ્ય)માંથી યુ.જી. પંડ્યાને (વહવ) ને પ્રાંત કચેરી (સમાજ સુરક્ષા), મ.ભ.ય. તપસના બી.આર. મકવાણાને જિલ્લા આયોજન કચેરીમાં, ઈ-ધારા જામનગર (ગ્રામ્ય) માંથી એ.વી. ભેંસદડીયાને જામજોધપુર (મતદ), કે.એમ. પરસાણા (પુરવઠા - કાલાવડ) માંથી ધ્રોલ (મતદ), કાલાવડ ઈ-ધારામાંથી જે.એસ. પટેલને શિરસ્તેદાર - ધ્રોલ, કાલાવડના ડી.વી. રામવતને કલેક્ટર કચેરી (મહેકમ), ઈ-ધારા - ધ્રોલના એમ.સી. ટમલીયાને જામજોધપુર (દબાણ), લાલપુર (પુરવઠા) માંથી એમ.વી. ઠાકરને જામજોધપુર (દબાણ), જામજોધપુર (પુરવઠા) માંથી આર.કે. ચૌહાણને લાલપુરમાં ઈ-ધારામાં ડિઝાસ્ટર લાલપુરમાંથી એ.વી. ગરૈયાને કાલાવડ (દબાણ) માં, જામનગર કલેક્ટર કચેરીના જે.એચ. પીપરીયા ના.ગ્રામ્ય (મહેસુલ), જામનગર ગ્રામ્ય (સમાજ સુરક્ષા)માંથી એ.એમ. ભીમાણીને કલેક્ટર કચેરી (બહવ), જામજોધપુરમાં ડીઝાસ્ટર શાખામાંથી બી.વી. ભારવાડીયાને લાલપુર (મહેસુલ)માં, લાલપુરના ઈ-ધારામાંથી હસુમુખ જી. દલવાડીને જોડિયા (મભય-વહપ), ધ્રોલ (મહેસુલ)ના એ.એન. ગોહિલને જિલ્લા પુરવઠા કચેરીમાં, કલેક્ટર કચેરીને બી.પી. કણસાગરાને સર્કલ ઓફિસર-પડાણામાં, પડાણાના સર્કલ ઓફિસર આર.જે. પઢારીયાને પ્રાંત કચરેી (ગ્રામ્ય)માં અને લાલપુર સર્કલ ઓફિસર વી.બી. જાડેજાને પ્રાંત કચેરી જામનગર-શહેર (મતદ)માં મૂકવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application