વાદળીયું વાતાવરણ યથાવત:માવઠાનું જોર ઘટયું

  • May 01, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


49 તાલુકામાં વરસાદ: માત્ર ચાર તાલુકામાં અડધો ઇંચથી વધુ: તા. 4 થી માવઠાનો માહોલ સંપૂર્ણપણે વિખેરાઈ જશે અને ગરમી વધશે




સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોને ચોમાસાની સિઝનનો અહેસાસ થાય તેવું જોરદાર માવઠું થયા પછી હવે ધીમે ધીમે તેનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 49 તાલુકામાં વરસાદ થયો છે તેમાંથી માત્ર ચાર તાલુકામાં અડધો ઇંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે.



આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી, ભાવનગર જિલ્લાના તળાજા -બોટાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી બનાસકાંઠા સુરત તાપી ખેડા મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદ થયો છે.



આકાશમાં હજુ ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં 82 સુરતમાં 84 વડોદરામાં 64 અમદાવાદમાં 82 દ્વારકામા 77 ભુજમાં 84 અને વેરાવળમાં 74% ભેજ સવારે નોંધાયો છે.


નોર્થ વેસ્ટ ઇન્ડિયાના રાજ્યોને અસર કરે એવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે રાત્રે ઊભું થઈ રહ્યું છે અને તેના કારણે દિલ્હી પંજાબ હરિયાણા સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા છે. તારીખ 4 થી વરસાદનું જોર ઓછું થઈ જશે અને ગરમીનું પ્રમાણ વધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application