ક્લિક કરી જાણો શા કારણે OTT પર 'સાલાર'ની રિલીઝમાં થશે વિલંબ?

  • December 29, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથના સુપર સ્ટાર પ્રભાસની સાલાર મુવીએ ધૂમ મચાવી છે. પાંચસો કરોડના કલ્બમાં આ ફિલ્મે પ્રવેશ કરી લીધો છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે તગડી કમાણી કરી છે. આ ફિલ્મને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ત્યારે આ ફિલ્મની OTT રિલીઝને લઈને મોટી માહિતી સામે આવી છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની OTT રિલીઝમાં વિલંબ થઈ શકે છે.


થિયેટરોમાં આ ફિલ્મ જોવા માટે ભારે ભીડ જોવા મળે છે. પણ હવે પ્રભાસના ચાહકો આ ફિલ્મની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બાબતે એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓએ OTTના દિગ્ગજ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઈન્ડિયાને 'સાલાર' મોટી કિંમતે વેચી છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મ 25 દિવસ બાદ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જો કે, આ બધાની વચ્ચે કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મની OTT રિલીઝ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં થશે.


સૂત્રોનું માનીએ તો મેકર્સ મકરસંક્રાંતિના કારણે પ્રભાસ સ્ટારર ફિલ્મ સાલારની OTT રિલીઝમાં વિલંબ કરી શકે છે. કારણકે મકરસંક્રાતિની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સાલાર ફિલ્મનો દર્શકોનો ક્રેઝ જોતા મકરસંક્રાંતિનું પર્વ કમાણી કરાવી આપે તેવી અપેક્ષા છે. ખાસ કરીને સાઉથની આ ફિલ્મ છે અને આંધ્રપ્રદેશમાં 12મી જાન્યુઆરીથી વેકેશન શરૂ થાય છે. મહત્વની વાત એ છે કે આ તે સમય છે જ્યારે લોકો તેમના પરિવાર સાથે થિયેટરોમાં આવે છે. આથી, આ સમયે મેકર્સ સારા કલેક્શનની અપેક્ષા રાખી રહ્યા છે. આ તરફ નોંધનીય છે કે મકરસંક્રાંતિ પર ટોલીવુડમાંથી આવનારી એકમાત્ર મોટી ફિલ્મ 'ગુંટુર કરમ' છે. આ ફિલ્મ વિશે અત્યાર સુધી બહુ ઓછી ચર્ચા થઈ છે. પણ હાલ તો મેકર્સને આશા છે કે સાલાર સંક્રાંતિના અવસર પર સારો બિઝનેસ કરી શકે છે. આ જ કારણ છે કે ઓટીટી પર સાલાર ફિલ્મની રિલીઝમાં વિલંબ થશે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application