@aajkaaldigitalteamપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે તેમનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે એક દેશ, એક ચૂંટણી યોગ્ય નથી. તે ભારતના બંધારણીય મૂળભૂત માળખાની વિરુદ્ધ હશે.
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની આગેવાની હેઠળની સમિતિને એક દેશ, એક ચૂંટણી અંગે પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાના વિચારો જણાવતા કહ્યું હતું કે, અમે એક સાથે ચૂંટણી યોજવા માટે સહમત નથી. વર્ષ 1952માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. આ ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું, પરંતુ પછીથી તે ટકી શક્યું નહીં.
વધુમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “એક સાથે સંઘ અને રાજ્યની ચૂંટણીઓ ન યોજવી એ વેસ્ટમિન્સ્ટર શાસન પ્રણાલીની મૂળભૂત વિશેષતા છે. આમા બદલાવ થવો જોઇએ નહીં. ટૂંકમાં, એક સાથે ચૂંટણી ન યોજવી એ ભારતીય બંધારણીય વ્યવસ્થાના મૂળભૂત માળખાનો એક ભાગ હોવાની વાત તેમણે કહી હતી.
વાસ્તવમાં, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિને રાજકીય પક્ષોએ પત્ર લખીને આ મુદ્દે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારે બંગાળના સીએમ મમતા બેનર્જીએ એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર માટે તેમનું વલણ સ્પષ્ટ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech