ભારતીય નૌકાદળના એડમિરલના ખભા પરના ઇપોલેટ્સની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવ્યો છે. જે છત્રપતિ શિવાજી મહારાજના કોટ ઓફ આર્મ્સથી પ્રેરિત છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી ભારતીય નૌકાદળના અધિકારીઓ અંગ્રેજોના જમાનાના ગુલામીના પ્રતીકો પહેરતા હતા પરંતુ હવે ઇપોલેટ્સની ડિઝાઇનમાં કરવામાં આવેલા બદલાવે સ્વદેશીકરણ પર ભાર મૂકયાનું ચિત્ર ઉપસી આવ્યું છે.
મહત્વનું છે કે નૌકાદળ દિવસ પર પીએમ મોદીએ એડમિરલ્સના ખભા પર નવી ડિઝાઇનના ઇપોલેટ્સની જાહેરાત કરી હતી. ત્યારે હવે તે જાહેરાત મુજબ બદલાવો પણ કરવામાં આવ્યા છે. આ ઇપોલેટ્સ છત્રપતિ શિવાજી મહારાજની નૌકાદળથી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે, નેવી દિવસ પર પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે ભારતીય પરંપરા અનુસાર રહેવાનું છે. બ્રિટિશ શાસનના સમયની ચીજ વસ્તુઓને ખતમ કરવાની છે. ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવાની છે અને આપણા વારસાને આગળ ધપાવવાનો આ સમય છે. ત્યારે આ જ વાતને તેમણે સાર્થક કરતા નૌકાદળના એડમિરલના ખભા પરના ઇપોલેટ્સની ડિઝાઇનમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં સ્વદેશીકરણની બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોવાથી તે નવી ડિઝાઇન છત્રપતિ શિવાજી મહારાજની નૌકાદળથી પ્રેરિત રાખવામાં આવી છે.
મહત્વનું છે કે, નૌકાદળના ચિન્હ અને મુદ્રા ખાસ સૂચન પણ કરે છે જેમ કે,
ગોલ્ડન નેવી બટન- ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવાની ઈચ્છા સૂચવે છે.
અષ્ટકોણ- આઠ દિશાઓ બતાવે છે. જેથી આપણે લાંબા સમય સુધી ચારે તરફ નજર રાખી શકીએ.
તલવાર- શક્તિ, રાષ્ટ્રીય તાકાત અને યુદ્ધ લડવાની આપણી ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પડકારનો સામનો કરવાની અને તેને હરાવવાનું સામર્થ્ય દર્શાવે છે.
ટેલિસ્કોપ- તે દૂરદર્શિતા દર્શાવે છે. દરેક સિઝનમાં વિશ્વમાં થતા ફેરફારો પર લાંબા સમય સુધી નજર રાખવાની ક્ષમતા દર્શાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech