શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું 92 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, પૂણેમાં નિવાસ સ્થાને લીધા અંતિમ શ્વાસ

  • January 13, 2024 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંગીતની દુનિયાને હચમચાવી નાખે તેવા માઠા સમાચાર આવ્યા છે. ત્રણેય પદ્મ પુરસ્કારોથી સન્માનિત શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું નિધન થયું છે. 92 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ પુણેના તેમના નિવાસસ્થાને તેઓ સુતા હતા, તે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ વેળા પરિવારના સભ્યો તેમને હોસ્પિટલ લઇ જતા હતા. પરંતુ તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


આપને જણાવી દઇએ કે થોડા સમયમાં જ મુંબઇમાં તેમનો એક કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ આ પહેલા જ તેમણે ચિર વિદાય લીધી. શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેના પરિવારના કેટલાક સભ્યો વિદેશમાં રહે છે. આથી, પરિવારના સભ્યોના આવ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


13 સપ્ટેમ્બર 1932ના પુણેમાં જન્મેલા પ્રભા અત્રે કિરાના ઘરાનાના હતા. તેઓ આ ઘરાનાના વરિષ્ઠ ગાયિકા હતા. સંગીતની વિવિધ શૈલીઓમાં તેઓ નિપુણતા ધરાવતા હતા. સંગીત રચના પરના તેમના પુસ્તકો સ્વરાગિની, સ્વરરંગી અને સ્વરંજની ખૂબ જ લોકપ્રિય છે. એટલું જ નહીં નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે સંગીત પર લખેલા હિન્દી અને અંગ્રેજી ભાષામાં તેમના એકસાથે 11 પુસ્તકો લોંન્ચ થયા હતા. આમ, તેમના નામે એક જ સ્ટેજ પર 11 પુસ્તક લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે. તેમના કાર્યકાળમાં ઘણા મોટા પુરસ્કારોથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહી પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ પ્રભા અત્રેને નવાજવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application