જગતમંદિરમાં આજથી શરૂ થતા પવિત્ર પુરૂષોતમ માસ દરમ્યાન ઠાકોરજીના ઉજવવામાં આવતા મુખ્ય તહેવારોની અધિક માસ દરમ્યાન ઉજવણી કરવામાં આવશે. જેથી ઠાકોરજી દર્શન સમયમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. અધિક માસ દરમ્યાન તા. ર૦ થી તા. ૧૬ સુધી મંગલા આરતી સવારે ૬ કલાકે યોજાશે. જ્યારે તા. ર૦ ના અક્ષય તૃતીયાનો ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનનો સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સવારે ૧૦ થી ૧ર વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે. બપોરે ૧ર થી ૧.૩૦ સુધી ઉત્સવ દર્શન કરી શકાશે. તા. ર૩ ના વસંત પંચમીનો ઉત્સવ ઉજવાશે, જેમાં સવારો ક્રમ નિત્યક્રમ મુજબ તથા બપોરે ૧ થી ર સુધી ઉત્સવ દર્શનનો લાભ ભક્તો લઇ શકશે. બપોરે ર થી પ સુધી મંદિર અનોસર એટલે કે બંધ રહેશે. સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.
તા. ર૭ ના રોજ રામનવમી ઉજવવામાં આવશે, જેમાં સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સવારે ૧૦.૩૦ થી ૧ર મંદિરમાં દર્શન બંધ રહેશે. બપોરે ૧ર થી ૧.૩૦ સુધી ઉત્સવ દર્શન કરી શકાશે અને ત્યારબાદ બપોરે ૧.૩૦ થી પ વાગ્યા સુધી અનોસર એટલે બંધ રહેશે. સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. જ્યારે તા. ૧/૮ ના દેવદિવાળી ઉત્સવ દરમિયાન સવાર તથા સાંજનો સમય નિત્યક્રમ મુજબ રહેશે તથા સાંજના સમયે દેવદિવાળી ઉજવવામાં આવશે. જ્યારે તા. ૦૮ ના દિવસે અધિક માસની જન્માષ્ટમી ઉજવવામાં આવશે. સવારે ૮ થી ૮.૩૦ દરમિયાન ખુલ્લા પડદે અભિષેક દર્શનનો લાભ ભક્તો લઇ શકશે. શ્રૃંગાર આરતી દર્શન સવારે ૧૧ કલાકે થશે. બપોરે ૧ થી પ સુધી મંદિર અનોસર એટલે કે બંધ રહેશે. સાંજે પ કલાકે ઉત્થાપન થશે અને રાત્રે ૯ કલાકે શયન બાદ રાત્રિના ૯ થી ૧ર સુધી મંદિર બંધ રહેશે, અધિક જન્માષ્ટમી ઉત્સવ રાત્રે ૧ર થી ૧ સુધી ઉજવવામાં આવશે અને રાત્રિના ૧ કલાકે મંદિર બંધ થશે. તા. ૯ ના પારણા નોમ આરતી સવારે ૭ કલાકે કરવામાં આવશે. બપોરે ૧ થી પ સુધી અનોસર (બંધ) બાદ સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech