ઉપલેટામાં રિલાયન્સ ટ્રેન્ડસ મોલનાં કેશિયરને ત્રણ શખસોએ માર માર્યો

  • January 24, 2023 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટામાં રિલાયન્સ ટ્રેન્ડસ મોલમાં ગ્રાહકોએ કેશિયરને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની ફરિયાદ મુજબ અજયભાઈ અશોકભાઈ વાણિયા ઉ.વ.૨૭ રિલાયન્સ ટ્રેન્ડસ મોલમાં કેશિયર તરીકે નોકરી કરે છે. મોલમાં ત્રણ વ્યક્તિઓ ખરીદી માટે આવેલ અને ખરીદી બાદ તેઓએ ગુગલ પે દ્વારા ‚ા.૧૨૯૯ સ્કેન મશીનથી પેમેન્ટ કરેલ જે પેમેન્ટ ખરીદી કરનાર પાસેથી કપાયેલ બતાવેલ અને જયારે અમારા રિલાયન્સનો સ્કેનરમાં રીસીવ ન થતા કપડા માગેલ જેથી અમારા મેનેજર રહેમતુલ્લા ફરદીનનાઓએ તેને સમજાવેલ કે અમારી પાસે પેમેન્ટ જમા નથી થયેલ અને જે અમો કપડા ન આપી શકીએ અને કંઈક એરર હશે તો પેમેન્ટ પ્રોસિઝરની બાદ તમારામાં સાત દિવસમાં પૈસા જમા થઈ જશે તેવી મેનેજરે ખાતરી આપેલ છતાયે ત્રણેય જણા ઉશ્કેરાઈ જઈને ગાળો બોલવા લાગેલ અને મારી સાથે ઝપાઝપી કરી આડેધડ લાફા અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ માથાકુટ કરનાર રજાકભાઈ ઉર્ફે કાળિયા ગનીભાઈ ઓડિયા, મહમદહુશેન રજાકભાઈ ઓડિયા હતા અને એક તેની સાથે આવેલ અજાણ્યો વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application