કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી જામનગર જિલ્લાની મુલાકાતે 

  • June 23, 2023 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલ તા. 24 જૂનથી જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રી આવતીકાલે સવારે 10:00 કલાકે જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, જામનગર ખાતે 'પ્રાદેશિક સરસ મેળા' માં ઉપસ્થિત રહેશે. મંત્રી ત્યારબાદ 10:45 કલાકથી જામનગર સર્કિટ હાઉસમાં જનસંપર્ક કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોને સાંભળશે. 


મંત્રી આગામી તા. 25 જૂનના રોજ, બપોરે 12:30 કલાકે વિશ્વકર્મા બાગ, પટેલ કોલોની, શેરી નં. 12, જામનગર ખાતે ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લિમિટેડની 64 મી વાર્ષિક સાધારણ સભામાં અને ઉક્ત બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહેશે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application