કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ આગામી તા. ૦૫ ઓગસ્ટના જામનગર જિલ્લાની મુલાકાત લેશે

  • August 03, 2023 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંત્રી ધ્રોલ ખાતે ૭૪ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે 

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ આગામી તા.૦૫ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રી તા.૦૫ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ધ્રોલના રામરોટી આશ્રમ, ખારવા ચોક ખાતે ૭૪ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.  

ત્યારબાદ તેઓ બપોરે ૦૩:૦૦ કલાકથી કલેકટર કચેરી ખાતે જી.એસ.આર.ડી.સી.એલ. ને સ્પર્શતા પ્રશ્નોના નિવારણ અર્થે સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. બપોરે ૦૩:૩૦ કલાકથી મંત્રી ડી.આઇ.એલ.આર. અને મહેસૂલ વિભાગની બેઠકમાં હાજરી આપશે. સાંજે ૦૪:૧૫ કલાકથી મંત્રી કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે તેઓ સમીક્ષા બેઠકનું આયોજન કરશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application