કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા બજેટને આવકાર

  • February 02, 2023 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર્વોદયના લક્ષ્ય સાથે ગઈકાલે બુધવારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા અમૃતકાળનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને વિકાસલક્ષી અને દેશના સર્વાંગી વિકાસ માટેના આયોજનને ધ્યાનમાં લઈને રજૂ કરવામાં આવેલું હોવા અંગેના પ્રતિભાવ વ્યક્ત કરી રાજ્યના વન અને પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આ બજેટને આવકાર સાથે બિરદાવ્યું છે.


ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વૈશ્વિક મંદીમાં હાલ અનેક મોટા અને વિકસિત દેશો પરેશાન છે, ત્યારે દેશનું આગામી બજેટ સર્વોદયના લક્ષ્ય સાથે નિશ્ચિત પણે દેશને વિકાસની ગાડી પર પુરપાટ લઈ જશે.


દેશ માટે સંરક્ષણની રેકોર્ડરૂપ રકમની જોગવાઈ સાથે ખેડૂત અને મધ્યમ વર્ગ માટે આ બજેટ આશીર્વાદ રૂપ બની રહેશે. સાથે સાથે વેપારીઓ તથા નાના ઔદ્યોગિક એકમો માટે આ બજેટની જોગવાઈઓ મહત્વની સાબિત થશે. આટલું જ નહીં, આમ જનતા માટે ટેક્સના નવા સ્લેબથી અનેક લોકોને ફાયદો થશે.


આમ, એકંદરે દેશનું આગામી બજેટ અર્થતંત્રને વધુ મજબૂત કરનારુ બની રહેશે તેવા આશાવાદ સાથે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આ બજેટને આવકાર્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application