મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવી ચૂક્યું છે. જે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂઆત કર્યું હતું. નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ હતું. ત્યારે આ દરમ્યાન બસપા સુપ્રીમો માયાવતીએ આ બજેટને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે. એનડીએ સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં પણ દેશ અને સામાન્ય પ્રજાના હિતથી વધુ રાજકીય સ્વાર્થ હેઠળ વિવિધ રાજ્યોની વચ્ચે ભેદભાવ, પક્ષપાત અને અસંતુલન વધારવાના વિરુદ્ધ આક્રોશ અને વિરોધ સ્વભાવિક છે, જો કે, કેન્દ્ર દ્વારા આ પ્રકારનું વર્તન કાંઈ નવું નથી. બસપાએ પણ યુપીમાં આનો સામનો કર્યો છે.
બસપાએ પણ યુપીમાં આનો સામનો કરવો પડ્યો
તે બાદ તેમને બીજી એક પોસ્ટ પણ કરી કે, કેન્દ્રીય બજેટથી નાખુશ/પીડિત બિન-ભાજપ શાસિત રાજ્યોએ આ બાબતને લઈને નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે, જ્યારે યુપી જેવી વિશાળ વસ્તી ધરાવતા ગરીબ અને પછાત રાજ્યો પર બજેટમાં ધ્યાન ન આપવું પણ કેટલું યોગ્ય છે? કેન્દ્ર માટે દેશ અને જનહિતને સર્વોપરી રાખવું ખૂબ જ જરૂરી છે.
જણાવી દઈએ કે, નીતિ આયોગ રાજધાની દિલ્હીમાં 27 જુલાઈને શનિવારના રોજ નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક યોજાશે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં સામાન્ય જનતાના રોજિંદા જીવન સાથે સંકળાયેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
આ દરમિયાન કેટલાક વિપક્ષી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં કર્ણાટક, તમિલનાડુ, કેરળ, તેલંગાણા, પંજાબ જેવા રાજ્યો સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech